________________
જેન સંસ્કૃતિને પ્રાણ : અનેકાન્ત
૧૧૩ ઉપરના વિચારની પૃષ્ઠભૂમિકામાં અનેકાન્તવાદ જેન સંસ્કૃતિના તત્ત્વજ્ઞાન નિરૂપણને મૂળ આધાર છે. જેના સંસ્કૃતિમાં જે વાત કહેવામાં આવી છે તે અનેકાન્તામક વિચાર તથા સ્યાદવાદની ભાષામાં તેળીને જ કહેવામાં આવી છે. આ દષ્ટિબિંદુથી જોઈએ તે સંસ્કૃતિના ક્ષેત્રમાં જૈન સંસ્કૃતિનું બીજુ નામ અનેકાન્ત સંસ્કૃતિ પણ છે. અને કાન્તનું સ્વરૂપ
જૈન સંસ્કૃતિની માન્યતા છે કે દરેક વસ્તુની અનંત બાજુઓ છે. તે બાજુઓને-પક્ષેને જૈનદર્શનની પરિભાષામાં ધર્મ કહે છે. આ દષ્ટિએ સંસારની પ્રત્યેક વસ્તુ અનન્તધર્મા છે.
મનન્તધર્માત્મજં વસ્તુ” (સ્યાદવાદમંજરી.) અને કાન્તમાં અનેક અને અન્ત આ બે શબ્દો છે. અનેકનો અર્થ અધિક-બહુ અને અન્તને અર્થ ધર્મ અથવા દષ્ટિ છે. કેઈપણ પદાર્થને અનેક દષ્ટિએ જેવી, કોઈપણ વસ્તુને તત્વનું ભિન્ન ભિન્ન દષ્ટિથી અથવા ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી પર્યાલચન કરવું તે અનેકાન્ત છે. એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન વાસ્તવિક ધર્મોનું સાપેક્ષ રૂપથી સ્વીકાર કરવાનું નામ “અનેકાન્ત. ”
જૈન સંસ્કૃતિમાં એક જ દષ્ટિબિન્દુથી પદાર્થનું પર્યાલોચન કરવાની પદ્ધતિને એકાંગી, અધૂરી અને અપ્રમાણિક માનવામાં આવી છે. અને એક જ વસ્તુના વિષયનાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ કથન કરવાની વિચાર
ધ–૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org