SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જેન સંસ્કૃતિને પ્રાણ : અનેકાન્ત ૧૧૩ ઉપરના વિચારની પૃષ્ઠભૂમિકામાં અનેકાન્તવાદ જેન સંસ્કૃતિના તત્ત્વજ્ઞાન નિરૂપણને મૂળ આધાર છે. જેના સંસ્કૃતિમાં જે વાત કહેવામાં આવી છે તે અનેકાન્તામક વિચાર તથા સ્યાદવાદની ભાષામાં તેળીને જ કહેવામાં આવી છે. આ દષ્ટિબિંદુથી જોઈએ તે સંસ્કૃતિના ક્ષેત્રમાં જૈન સંસ્કૃતિનું બીજુ નામ અનેકાન્ત સંસ્કૃતિ પણ છે. અને કાન્તનું સ્વરૂપ જૈન સંસ્કૃતિની માન્યતા છે કે દરેક વસ્તુની અનંત બાજુઓ છે. તે બાજુઓને-પક્ષેને જૈનદર્શનની પરિભાષામાં ધર્મ કહે છે. આ દષ્ટિએ સંસારની પ્રત્યેક વસ્તુ અનન્તધર્મા છે. મનન્તધર્માત્મજં વસ્તુ” (સ્યાદવાદમંજરી.) અને કાન્તમાં અનેક અને અન્ત આ બે શબ્દો છે. અનેકનો અર્થ અધિક-બહુ અને અન્તને અર્થ ધર્મ અથવા દષ્ટિ છે. કેઈપણ પદાર્થને અનેક દષ્ટિએ જેવી, કોઈપણ વસ્તુને તત્વનું ભિન્ન ભિન્ન દષ્ટિથી અથવા ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી પર્યાલચન કરવું તે અનેકાન્ત છે. એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન વાસ્તવિક ધર્મોનું સાપેક્ષ રૂપથી સ્વીકાર કરવાનું નામ “અનેકાન્ત. ” જૈન સંસ્કૃતિમાં એક જ દષ્ટિબિન્દુથી પદાર્થનું પર્યાલોચન કરવાની પદ્ધતિને એકાંગી, અધૂરી અને અપ્રમાણિક માનવામાં આવી છે. અને એક જ વસ્તુના વિષયનાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ કથન કરવાની વિચાર ધ–૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy