________________
૧૧૧
ધર્મ અને સંસ્કૃતિ જીવિત રહેવું હોય તો તે સંયમને માટે અને મરવું હોય તો પણ તે સંયમને માટે. સંયમથી જ મનુષ્ય પોતાના વિકારોને જીતીને આત્મવિજયી બને છે. સંસ્કૃતિની દયેયનિષ્ઠા.
આ સંસ્કૃતિની ધ્યેયનિષ્ઠા છે, સંસારનાં બંધનોથી મુક્ત થઈને અજર, અમર અને શાશ્વત પરમપદને પ્રાપ્ત કરવાની નિર્વાણ, મેક્ષ અને મુક્તિ સિવાય અહીં બીજા કેઈપણ ઉદ્દેશથી સાધના કરવામાં આવતી નથી. સંયમનું પાલન કરે તે અરિહંત બનવા માટે, તપની સાધના કરે તે પણ અરિહંત બનવા માટે, અહિંસાનું આચરણ કરે તે પણ અરિહંત બનવા માટે અરિહંત અને સિદ્ધ બનવા માગે છે અહિંસા, સંયમ અને તપ. અહિંસા, સંયમ અને તપની સાધનાથી જ સાધક પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. આ સંસ્કૃતિ આમ-પૂજા કરતાં બીજી કઈ બહારની પૂજાને માન્ય કરતી નથી કે તેમાં શ્રદ્ધા રાખતી નથી. તેથી આ સંસ્કૃતિ આત્માની સંસ્કૃતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org