________________
ધર્મ અને સંસ્કૃતિ અધિકાર કરતાં કર્તવ્યને બહુ જ ઊંચું ગણવામાં આવ્યું છે. હૃદય-પરિવર્તન :
સ્થાનકવાસી સંસ્કૃતિ હદય પરિવર્તનમાં વિશ્વાસ રાખે છે. પિતાના ધર્મ, દર્શન અને સંસ્કૃતિના પ્રચાર તથા પ્રસાર માટે તેણે કદી પણ હિંસક બળ અજમાવ્યું નથી. બળ-પ્રયોગના આધારે થનારા પરિવર્તનમાં તેને બિલકુલ શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. સાધકને જે કંઈ મેળવવું છે તે પિતાના પુરુષાર્થ, પેતાના પરિશ્રમ અને પિતાના જીવન પરિવર્તનથી જ મેળવી શકાશે. જીવનને ઉદ્ધાર અને સુધાર “બાના” બદલવાથી નહિ પણ “બાન” બદલવાથી જ થશે. વિશ્વને બદલવાની ચિંતા ન કરે. જે જીવનની દિશા બદલી ગઈ હોય, તે દશા પણ જરૂર બદલી જશે. તેથી પિતાના મનના પરિવર્તનથી જ જીવનનું પરિવર્તન થશે. આત્મ-વિજયની સંસ્કૃતિ :
સ્થાનકવાસી સંસ્કૃતિમાં જીવન સાધ્ય નથી પણ એક સાધન માત્ર છે. સાધ્ય છે આત્મવિજય. આત્માના વિજયને માટે જીવનને સુરક્ષિત રાખવું એ તે ઠીક છે, પરંતુ ભગવાદી રહેવા માટે જીવનનું રક્ષણ કરવું, તેની આળ-પંપાળ કર્યા કરવી કદાપિ પણ ઉચિત નથી. આરાધના તથા સાધનાનું એકમાત્ર લક્ષ્ય છે આત્માની વિશુદ્ધિ તથા આત્માને વિજય. આત્માના વિકારોને જીતવા એ જ આ સંસ્કૃતિનું એકમાત્ર ધ્યેય છે. અહીં જીવનનું ધ્યેય છે સંયમ અને અહીં મરણનું ધ્યેય છે સંયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org