________________
ધર્મ અને સંસ્કૃતિ
૧૦૯ અને અનેકાન્તની સાધના પરમ આવશ્યક છે. અહિંસા અને અનેકાન્ત સ્થાનકવાસી સંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વ છે. આ બંને તત્ત્વમાં બધાં જ ત સમાઈ જાય છે.
અહીં ટૂંકમાં જ સ્થાનકવાસી સંસ્કૃતિના મૂળભૂત વિચારોની અથવા દષ્ટિબિંદુઓની પરિચય-રેખા આપવામાં આવી છે. કેઈપણ સંસ્કૃતિના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે તેના મૂળભૂત વિચારોને પરિચય જરૂરી બની જાય છે. કર્તવ્ય અને અધિકાર :
આ સંસ્કૃતિ અધિકારને નહિ પણ કર્તવ્યને જ મુખ્ય સ્થાન આપે છે. કર્તવ્ય સુંદર હોય તો પછી અધિકારની ચિંતા શા માટે ? જે અધિકારનો ઉદ્ભવ કર્તવ્યની ઊંચી ભૂમિમાં થયો હોય તે અધિકાર પિતે જ પ્રાપ્ત થઈ જશે. સાધુ પોતાના કર્તવ્યનું ધ્યાન રાખે, અને ગૃહસ્થ પિતાના કર્તવ્યનું ધ્યાન રાખે તે પછી કેઈપણ જાતની અવ્યવસ્થાને અવકાશ જ નહિ મળે. સંઘમાં, સમાજમાં, કુટુંબમાં અને રાષ્ટ્રમાં સર્વત્ર આ જ કર્તવ્ય ભાવનાથી શાંતિ મળી શકે છે. સ્થાનકવાસી સંસ્કૃતિમાં આ દષ્ટિકોણથી અધિકાર ઉપર નહિ પણ કર્તવ્ય ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. આ જ કર્તવ્યની ભાવનાએ આચાર્ય ભદ્રબાહુને પિતાની માંગ સાધના છોડીને નેપાલથી પાટલીપુત્ર આવવા અને સંઘ-સંમેલનમાં સંમિલિત થવા માટે પ્રેરિત કર્યા હતા. જે સમાજમાં આ કર્તવ્યની ભાવના નથી હોતી, તે સમાજ કદી ફળી શકતો નથી, આગળ વધી શકતા નથી કે ઉન્નતિ સાધી શકતા નથી. તેથી આ સંસ્કૃતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org