________________
૧૦૮
ધર્મ અને સંસ્કૃતિ ને સંગ્રહ મમતા ઉત્પન્ન કરે છે. મમત્વમાંથી જ પછી બંધન પેદા થાય છે. પરિગ્રહ સંસારનું સૌથી મોટું બંધન છે. તેનાથી મુકત થવા માટે જ આ સંસ્કૃતિમાં અપરિગ્રહની સાધના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યું છે. જીવનને સુખી, શાંત અને નિર્વેદ બનાવવા માટે સંગ્રહ-બુદ્ધિ છોડીને અપરિગ્રહની સાધના કરવી જ પડશે. આ જ એ સંસ્કૃતિનો સંદેશ છે. અહિંસા અને અનેકાન્ત :
અહિંસા અને અનેકાન્ત આ બંને સિદ્ધાંત આ સંસ્કૃતિને મૂળ આત્મા છે. આ સંસ્કૃતિને ભવ્ય પ્રાસાદ અહિંસા અને અનેકાન્તના પાયા પર જ ચણાયેલો ઊભે છે. જીવનની ધરતી પર જ્યાં સુધી અનેકાન્તને અવતાર નહિ થાય, ત્યાં સુધી સંસારમાં સુખ અને શાન્તિ આવી નહિ શકે. અહિસારૂપી સુધાનું પાન કરીને જ મનુષ્ય અમર થઈ જાય છે. અનેકાન્તનું અમૃત પીને મનુષ્ય અજેય બની જાય છે. વ્યક્તિને વ્યકિત સાથે, સમાજને સમાજ સાથે અને રાષ્ટ્રને રાષ્ટ્ર સાથે જે પરસ્પર સંબંધ જોડાય છે અથવા જોડા જોઈએ તેને મૂળ આધાર અહિંસા અને અનેકાન્ત જ છે. અહિંસા મનુષ્યના હૃદયને સરસ બનાવે છે. અને અનેકાન્ત મનુષ્યની બુદ્ધિને વિનમ્ર બનાવે છે. હૃદય અને બુદ્ધિ આ બંને તો જ જીવનવિકાસનાં આધારભૂત અંગે છે. હૃદયની શુદ્ધિ અહિંસાથી થાય છે અને બુદ્ધિની શુદ્ધિ અનેકાન્તથી થાય છે. તેથી જીવનસુધારણું માટે તેમ જ જીવનવિકાસને માટે અહિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org