________________
ધર્મ અને સંસ્કૃતિ
૧૦૭
આગળ વધી છે. તેના વિશ્વાસ વિરોધમાં નહિ, પણ અનુરાધમાં છે. જીવનધર્મ, સમાજ અને દન બધાં જ ક્ષેત્રમાં સમન્વય હાવા જરૂરી છે. કારણ કે સમન્વય વિના કટુતા, વિરાધ અને વિષમતા દૂર થઈ શકતાં નથી. આ સંસ્કૃતિ પોતાના મૂળ સિદ્ધાંતનું સંરક્ષણ કરતાં કરતાં પરસ્પરના સમન્વયમાં શ્રદ્ધા રાખે છે. ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં પણ જે કઈ સુંદર સિદ્ધાંતા હતા, છે અને હશે-જો તે જીવનને માટે ઉપયેગી હાય, કલ્યાણકારી હાય, તે આ સંસ્કૃતિ એનેા સ્વીકાર કરવામાં શ્રદ્ધા રાખે છે. અને એટલા જ કારણે આ સંસ્કૃતિમાં રૂઢિવાદ, પુરાણપ ́થીશાહી, અધવિશ્વાસ અને અંધશ્રદ્ધાને જરા પણ સ્થાન નથી. આ એક પ્રગતિશીલ સંસ્કૃતિ છે. અને તે જીવનનાં સમસ્ત ક્ષેત્રમાં આ સમન્વયબુદ્ધિને લઈને જ ચાલી છે.
સંગ્રહ અને વિસર્જન :
આ સૌંસ્કૃતિ જીવનને સંગ્રહમાંથી વિસર્જન તરફ લઈ જાય છે. મનુષ્ય અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા-અભિલાષા કરતા હેાય છે. પ્રાપ્તમાં આસક્તિ રાખતા હોય છે અને તે વસ્તુના વિયેાગમાં વિલાપ કરતા હાય છે. આ વિલાપમાંથી જ ભૂરા સંસ્કારો પેદા થાય છે. તેથી સ`ગ્રહમાં કદી કાઇને સુખ નથી મળ્યું. આ સસ્કૃતિના વિશ્વાસ છે કે સુખ સંગ્રહમાં નથી વિસર્જનમાં છે; સુખ પરિગ્રહમાં નથી પણ અપરિગ્રહમાં છે. અપરિગ્રહની સાધના જ આ સંસ્કૃતિનું સંલક્ષ્ય છે. જીવનમાં ગમે તે પણ વસ્તુને જડ અથવા ચેતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org