________________
૧૦૬
ધર્મ અને સંસ્કૃતિ નથી તે તે જિન શાસનમાં સમ્યગ્ર દષ્ટિ પણ નથી બની શકતે. જે કંઈ મેળવ્યું છે તેને વિખેરી ન નાખે. જે લેવાનું શીખ્યા છે તે કંઈ આપવાનું પણ શીખે. પરિગ્રહના વિષથી છૂટવા માટે દાનથી અધિકું બીજુ કેઈ સાધન હોઈ શકતું નથી. સ્થાનકવાસી સંસ્કૃતિ દયામાં અને દાનમાં ધર્મ સ્વીકારે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ :
આ સંસ્કૃતિ જીવનને પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ લઈ જાય છે. કારણ કે તેનું અંતિમ ધ્યેય છે મેક્ષ. મેક્ષ અથવા મુક્તિ નિવૃત્તિમાર્ગની સાધના વડે જ પ્રાપ્ત થઈ શકે છે. તેથી પ્રવૃત્તિમાર્ગને ત્યાગ જરૂરી છે. પ્રવૃત્તિને અર્થ છે આશ્રવ અને નિવૃત્તિને અર્થ છે સંવર. આશ્રવ અને સંવરમાં બંને તો એકબીજાનાં વિરોધી છે. આશ્રવ સંસારની અભિવૃદ્ધિનું કારણ છે અને સંવર મોક્ષનું આત્મમુક્તિનુ કારણ છે. સ્થાનિકવાસી સંસ્કૃતિનું મૂળ ધ્યેય છે પ્રવૃત્તિમાંથી પર થઈ જઈ, એટલે કે તેમાંથી હટી જઈ નિવૃત્તિ તરફ પ્રયાણ કરવું. ભેગવાદી વૃત્તિવાળા મનુષ્ય પ્રવૃત્તિમાર્ગમાં જ ફસાયેલા રહે છે. પરંતુ ત્યાગવાદી મનુષ્યોને પ્રવૃત્તિમાર્ગ તરફ અભિરુચિ નથી થતી હતી, તે તે આત્મકલ્યાણની ભાવનાને જ જીવનસાધનામાં મુખ્ય સ્થાન આપતા હોય છે. તેથી આ સંસ્કૃતિની સાધના નિવૃત્તિપ્રધાન છે. સમવય ભાવના :
સ્થાનકવાસી સંસ્કૃતિ સમન્વય–ભાવનાને લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org