________________
૩૨ હ
. જે
ઉપ
ધર્મ અને સંસ્કૃતિ
૧૦૩ સત્યં શિવં સુંદરમ્ ?
સ્થાનકવાસી સંસ્કૃતિનાં ત્રણ વિશેષણ છે, સત્યા, શિવા અને સુંદરા. એમાં સત્યની ઉપાસના કરવામાં આવે છે એટલા માટે આ સંસ્કૃતિ સત્યા છે. અને જે સત્યા છે તે શિવા જરૂર હશે, કલ્યાણ જરૂર હશે. કારણ કે જે સત્યરૂપ હેય છે, તે કલ્યાણરૂપ પણ હોય છે. જે શિવા છે તે સુંદરા પણ અવશ્ય હશે જ; કારણ સૌદર્યની ઉપયોગિતા ત્યારે જ છે જ્યારે તેમાં શિવત્વ હેય. આ સંસ્કૃતિનું સત્ય છે સમ્યફ દર્શન, આ સંસ્કૃતિનું શિવ છે સમ્યક્ જ્ઞાન અને આ સંસ્કૃતિનું સુંદર છે સમ્યફ ચારિત્ર્ય. દર્શન, જ્ઞાન અને ચારિત્રની આ ત્રિવેણી જ વસ્તુતઃ સાચી સંસ્કૃતિ છે. આ ત્રિવેણીમાં ડૂબકી મારવાથી મનને તાપ અને પાપ બંને નાશ પામે છે. તનને તાપ અને પાપ તે કેણ જાણે કેટલીયે વાર કપાઈ ચૂકેલાં છે, મટી ચૂકેલાં છે, પરંતુ જ્યાં સુધી મનના તાપ અને પાપ દૂર નહિ થાય ત્યાં સુધી જીવનનું કલ્યાણ નહિ થઈ શકે. જીવનના કલ્યાણ માટે જ સત્યા, શિવા અને સુંદર સંસ્કૃતિની ત્રિવેણી આ ભૂલોકમાં પ્રવાહિત થઈને ઊતરી આવી છે. સંસ્કૃતિનો મૂળ આધાર :
સ્થાનકવાસી સંસ્કૃતિનાં આધારભૂત તત્વ ત્રણ છેશ્રમ, શમ અને સમ. આ સંસ્કૃતિની એ માન્યતા છે કે જીવનના ઉત્થાનમાં, જીવનના વિકાસમાં અને જીવનના અસ્પૃદયમાં મનુષ્યને પોતાને જ શ્રમ કામ આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org