SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ધર્મ અને સંસ્કૃતિ અને ત્યાગથી જીવન ભૂષિત થાય છે. ભેગ પતનને માર્ગ છે અને ત્યાગ ઉત્થાનને માર્ગ છે. ભેગમાં આમા પિતાના સ્વરૂપને ભૂલે છે, અને ત્યાગમાં આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ સંસ્કૃતિ દરેક સાધકને પ્રેરણા આપે છે, ને કહે છે કે ભેગને છેડે અને ત્યાગને જીવનના ધરાતલ ઉપર ઊતરવા દે. ભેગની ઉજડ જમીન ઉપર નાખવામાં આવેલું ફર્મનું બીજ કંઈ અંકુરિત નહિ થઈ શકે. માટે ભેગમાંથી ત્યાગ તરફ ચાલે. જીવન સુધારણાને આ જ સાચો માર્ગ છે. અધ્યાત્મસંસ્કૃતિ : સ્થાનકવાસી સંસ્કૃતિ અધ્યાત્મ છે, ભૌતિક નથી. તેમાં વૈરાગ્ય, ત્યાગ અને સંયમને મહિમા છે, ભોગવિલાસ તથા ભૌતિક સુખસાધનને નથી. તેમાં બહારના વિકાસનાં નહિ પણ અંદરના વિકાસના મહિમાનાં ગીત ગાવામાં આવે છે. આંતર મનનું પરિધન જ આ સંસ્કૃતિની સાધનાનું લક્ષ્ય છે. આ સંસ્કૃતિમાં કળાને સ્થાન તે મળ્યું, પરંતુ ભૌતિક કળાને નહિ, અધ્યાત્મ કળાને મળ્યું છે. જે કળા ભેગમાં પરિણમે છે તેને અહીં જરા પણ સ્થાન નથી, પણ જે કળા સંયમ અને સંસ્કૃતિને શોભાવે છે, અલંકૃત કરે છે, તેને અહીંયાં જરૂર આદર થાય છે. દીવાલ, કાગળ અને પથ્થરની કળાનું અહીં એટલું સન્માન નથી જેટલું જીવનની કળાનું સન્માન છે. તેથી આ સંસ્કૃતિ એક અધ્યાત્મ સંસ્કૃતિ છે, ભૌતિક સંસ્કૃતિ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy