________________
૧૦૦
ધર્મ અને સંસ્કૃતિ પિતે જ પોતાની સુધારણા માટે મનુષ્ય જીવન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. ઈશ્વર નામની કઈ સત્તા અથવા શકિત એવી નથી જે આસમાનમાં બેસીને આપણું ઉપર શાસન ચલાવતી હોય અથવા જેના અનુગ્રહ ઉપર જ આપણે વિકાસ આધારિત હોય અથવા જેના નિગ્રહથી આપણે વિનાશ થતો હોય. આ કઈ ઈશ્વર કે બહારની શક્તિ કે સત્તા નથી. આ જાતના કપલકલ્પિત ઈશ્વરમાં આ સંસ્કૃતિ વિશ્વાસ નથી રાખતી. તે ઈશ્વરવાદને માન્ય નથી કરતી. આ સંસ્કૃતિ તો એમ કહે છે કે પ્રત્યેક વ્યકિત પિતે જ ઈશ્વર છે, પિતે જ ભગવાન છે. આત્મા અથવા જીવ સ્વયં ઈશ્વર અથવા ભગવાન છે. જે આત્મા, જે જીવ અને વ્યકિત કર્મોના બંધનમાંથી મુકત થઈ ગયાં, તે ભગવાન બની ગયાં, તે ઈશ્વર બની ગયાં છે, એમ તે માને છે. આ સંસ્કૃતિમાં વ્યકિતને પિતાને ઉદ્ધાર કરી લીધા પછી મુખાપેક્ષી નથી બનવું પડતું. પોતાના ભલા અને પિતાના બૂરા માટે જીવ પોતે જ જવાબદાર છે. પિતાના જ બળ વડે પોતાને ઉદ્ધાર કરે તે આ સંસ્કૃતિનું મૂળ ધ્યેય છે. બાર વરસની કઠેર અને ઘેર સાધના કર્યા પછી ભગવાન મહાવીરને જે અમૃત તત્ત્વ મળ્યું હતું તે અમૃત તત્ત્વને , તેમણે લેકે માં-માણસ માણસમાં વહેંચી દીધું. પિતાની સાધના દ્વારા તેમણે એ સિદ્ધ કરી આપ્યું કે જે કંઈ મેળવવા ઈચ્છતા હે અને જે કંઈ બનવા માગતા હે તે પોતાના જ બળથી, પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org