________________
ધર્મ અને સંસ્કૃતિ ગુણપૂજા :
સ્થાનકવાસી સંસ્કૃતિની સૌથી પહેલી વિશેષતા છે તેની ગુણ-પૂજા. આ સંસ્કૃતિ વ્યક્તિની પૂજામાં માનતી નથી પણ ગુણની પૂજામાં માને છે. વ્યક્તિ સ્થાયી નથી હેતી, સ્થાયી હોય છે તેના ગુણ. મહામંત્ર નવકારમાં જે સંસ્કૃતિનો મૂળમંત્ર છે, તેમાં ગુણ-પૂજાને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કેઈ વ્યતિ-વિશેષની પૂજાને નહિ. જેણે સમસ્ત કર્મોને ક્ષય કરી દીધે તે સિદ્ધ છે. જેણે રાગ અને દ્વેષનો ક્ષય કરી દીધે તે અરિહન્ત છે. જે સ્વયં આચારનું પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તે આચાર્ય છે. જે જ્ઞાનની સાધના કરે છે ને કરાવે છે તે ઉપાધ્યાય છે. જે પાંચ મહાવ્રતની સાધના મન, વચન તથા કાર્યથી કરે છે, તે સાધુ છે. આ રીતે આ સંસ્કૃતિના મૂળમાં ગુણ-પૂજાને મહત્ત્વ મળ્યું છે. કોઈપણ જાતિ અથવા કોઈપણ દેશને માણસ પુરુષ અથવા સ્ત્રી આ ગુણોની સાધના કરીને સિદ્ધ, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ થઈ શકે છે. તેથી ગુણ-પૂજા એ આ સંસ્કૃતિનો મૂળ સિદ્ધાંત છે. પિતાને ઉદ્ધાર પિતાના જ હાથે :
વ્યકિતનું ઉત્થાન અને વ્યકિતનું પતન કોઈ બીજાના હાથમાં નથી, પરંતુ વ્યકિતના પોતાના હાથમાં છે. સ્વર્ગવાસી દેવ આપણા જીવનને ન તો ઉદ્ધાર કરી શકે છે કે ન આપણું કંઈ બગાડી શકે છે. કારણ કે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org