________________
૯૮
ધર્મ અને સંસ્કૃતિ જીવનને ભેગમાંથી ત્યાગ તરફ, વિકારમાંથી સંસકાર તરફ, રાગમાંથી વિરાગ તરફ તથા અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ મનુષ્યને બહિર્મુખી નહિ અંતર્મુખી બનાવે છે. આત્માને બંધનમુક્ત કરે એ તેનું સાધ્ય છે. સાધ્યની સિદ્ધિ સાધન વગર થઈ શકતી નથી. સાધન શુદ્ધ છે કે અશુદ્ધ તેને પરખવા માટે દષ્ટિની આવશ્યક્તા છે. તેથી દષ્ટિ–વિશુદ્ધિ પર સર્વ કંઈ આધાર રાખે છે. સંસ્કૃતિનાં દષ્ટિબિંદુઓ :
સંસ્કૃતિ એક ગંભીર વિષય છે. તેમાં વળી જે સંસ્કૃતિનો પ્રવાહ બહુ જ પ્રાચીનકાળથી હોય તેના સ્વરૂપનું કથન અને તેના લક્ષણનું વિધાન કરી શકવું એ માનવામાં આવે છે તેટલું સહેલું અને સરળ નથી. સ્થાનકવાસી સંસ્કૃતિ જેનું મૂળસ્રોતમાં છે, જ્યાં ઈતિહાસને હાથ હજી પહોંચી શક્યો નથી એ સંસ્કૃતિનાં વિષયમાં કંઈ પણ લખવું એ ઘણું કઠિન કાર્ય છે. તો પણ હું અહીં તેના મૂળ દષ્ટિકેણની ટૂંકમાં ચર્ચા કરીશ. જેના સંપૂર્ણ અથવા પરિપૂર્ણ રૂપ વિષે કહેવું તે આ પુસ્તકને વિષય નથીઅહીં તો કેવળ આપને એ વિશાળ સંસ્કૃતિને પરિચય માત્ર મળશે. સંસ્કૃતિ એક પરિવર્તનશીલ પ્રવાહ છે. સમય સમય પર તેમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિવર્તને થતાં રહે છે અને એ પરિવર્તન અમુક હદ સુધી જરૂરી પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org