________________
૯૬
ધર્મ અને સંસ્કૃતિ સમાજના વિશ્વાસ, વિચાર અને આચારની ત્રિવેણુમાં છે. સંસ્કૃતિને સંબંધ આંતરિક જીવન સાથે છે. સભ્યતા અને સંસ્કૃતિમાં આધારભૂત ભેદ છે. સભ્યતા શરીર છે અને સંસ્કૃતિ આત્મા. સભ્યતા બહારની વસ્તુ છે અને સંસ્કૃતિ અંદરની વસ્તુ છે. ભૌતિક વિકાસનું નામ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ કોઈ પણ પરંપરાનું પ્રાણતત્ત્વ હોય છે. સંસ્કૃતિનો ઉદ્ભવ જાતિના જીવનના કેઈ સશક્ત-સબળ વિચારથી થાય છે. જે એ જાતિના જીવનરૂપી વૃત્તનું માને કે કેન્દ્ર હોય છે, એ જાતિ અથવા સમાજના વિકાસની સંપૂર્ણ ધારા, એ જ વિચારરૂપ સ્ત્રોતમાંથી જાણે કે વહેતી હોય છે. જે સમાજની પાસે તેના જીવનને વિકસિત કરનારે એક સશકત કેન્દ્રીય વિચાર નથી હોતા, એ સમાજની સંસ્કૃતિ શૂન્યવત્ બની જાય છે અને જેની પાસે એ હોય છે તેની સંસ્કૃતિ ચિરંજીવ હેય છે. સંસ્કૃતિને પ્રવાહ જીવનના કેઈ કેન્દ્રીય વિચારથી જ પ્રસ્ફટિત થાય છે. આ વિચાર એ હોય છે કે જે દેહીના દેહમાં આત્મા. જેવી રીતે આમાવડે જ શરીરનું જીવન છે તેવી જ રીતે કેન્દ્રીય વિચાર સંસ્કૃતિનું જીવન છે. આ વિચાર જેટલે પ્રબળ થશે, સંસ્કૃતિ પણ એટલી જ પ્રબળ થશે. સંસ્કૃતિને પ્રાણવતી બનાવનાર તેને કેન્દ્રીય વિચાર જ હોય છે. કેઈ પણ સમાજનાં ધર્મદર્શન અને સંસ્કૃતિને સમજવાને માટે એ જરૂરી છે કે તે સમાજના કેન્દ્રીય વિચારને સમજવામાં આવે. સ્થાનકવાસી સંસ્કૃતિને કેન્દ્રીય વિચાર ટૂંકમાં આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org