________________
ધર્મ અને સંસ્કૃતિ
૫ વાદી દર્શન જ એ દર્શન બની શકે છે જેમાં ચેતનાના ધર્મની અભિવ્યક્તિ થાય છે અને સંસ્કૃતિના સંસ્કારનું પ્રકટીકરણ થાય છે. ચેતનાને ધર્મ એક વ્યાપક ધર્મ છે. તે કઈ મતનું નામ નથી. તે કઈ પણ પરમ્પરાને નિયમ તથા સંહિતા નથી હોતી. ચેતનાના ધમને આંતરિક ચેતનાનું જીવન માનું છું, જે વિકસંમત, વિચારસંમત કર્મ અને ઉચિત સામાજિક સંસ્થાઓ દ્વારા સમય સમય પર વ્યક્ત થતા રહેતા હોય છે. આ ધર્મ બધાને છે. કેઈ વિશિષ્ટ મત, સંપ્રદાય અથવા જાતિને નથી. જે ધર્મ કેઈ એકને હોય છે તે દરેક પ્રાણ-પ્રાણને ધર્મ નથી બની શકતે. ચેતનાને ધર્મ વિશ્વધર્મ હોય છે. જેવી રીતે ચેતનાને ધર્મ જ વાસ્તવિક ધર્મ છે તેવી જ રીતે ચેતનાની સંસ્કૃતિ જ બધાની સંસ્કૃતિ બની શકે છે. અધ્યાત્મવાદી દર્શન જ એ બન્નેનું મિલનબિંદુ છે, સુંદર સંગમ સ્થળ છે. સંસ્કૃતિનું મૂળ તત્ત્વ :
સંસ્કૃતિને અર્થ થાય છે–એ વિશ્વાસ, એ વિચાર, એ આચાર, જેના વડે વ્યક્તિ અને સમાજજીવનને સંસ્કાર કરવામાં આવે છે, પરિષ્કાર કરવામાં આવે છે,
ધન કરવામાં આવે છે. સંસ્કૃતિ વડે વ્યક્તિ ઉન્નત અને વિકસિત થાય છે. સંસ્કૃતિને ધર્મ અને દર્શનની સાથે અતૂટ સંબંધ છે. કોઇપણ પરંપરાની પિતાની સંસ્કૃતિનો અર્થ એટલો જ છે કે તેને પિતાને વિશ્વાસ, વિચાર અને આચારની ધારા સ્વતંત્ર છે. સંસ્કૃતિને આમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org