________________
૧૨ ધર્મ અને સંસ્કૃતિ આજના આ લોકશાહી યુગમાં પ્રત્યેક મનુષ્યના મુખ પર સંસ્કૃતિની છાપ ઝળકી રહી છે. સંસ્કૃતિને સમજવાને જેટલે પ્રયત્ન કરવામાં આવે છે તેટલે જ વધારે ગુંચવાડે તેમાં પેદા થઈ જાય છે. સંસ્કૃતિ શું છે અને સંસ્કૃતિને ઉદ્દેશ શો છે? તેને સમજવા ને સમજાવવા પ્રયતન ન થયો હોય, એવું નથી. આ પ્રશ્નને અનેક તત્વચિંતકોએ પોતાના તત્ત્વ-ચિંતનની કસેટી પર કસ્યું છે. છતાં પણ અત્યાર સુધી સંસ્કૃતિની પરિભાષા અને સંસ્કૃતિની વ્યાખ્યા સ્થિર નથી થઈ શકી. ખરું જોતાં સંસ્કૃતિને સમજવા માટે, સંસ્કૃતિના વાસ્તવિક પરિબંધ માટે એ વસ્તુ અત્યંત જરૂરી બની જાય છે કે તેના સંદર્ભમાં ધર્મ અને દર્શનને સમજવાનો પ્રયત્ન થવે જોઈએ. ધર્મ અને દર્શનના અભાવમાં સંસ્કૃતિ ઊભી જ નથી રહી શકતી. સંસ્કૃતિ ધર્મ અને દર્શનથી અનુપ્રાણિત બને છે. નવજીવનને સંચાર તેના વડે જ થાય છે અને તેના વડે જ તેનું જીવન ટકી શકે છે. સંસ્કૃતિમાં જે પ્રાણતત્ત્વ વિદ્યમાન છે તેનું મૂળ ધર્મ અને દર્શનમાં જ છે. ભારતને ધર્મ અને દર્શન ભૌતિકવાદી નથી, પણ અધ્યાત્મવાદી છે. તેથી ભારતીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org