________________
- ૧૧ ધર્મની સાથે સંસ્કૃતિના બોલતા સ્વર
સંસ્કૃતિ અને ધર્મ ભારતીય જનજીવનની બે વિદ્યાઓ છે. ધર્મ વ્યક્તિ-અનુલક્ષી હેવા છતાંય સામાજિક પણ છે અને સંસ્કૃતિ સમૂહકૃત હોવા છતાં વ્યક્તિગત આનંદની અનુભૂતિનું કારણ છે. ધર્મ અને સંસ્કૃતિ બંને ભારતીય લોકજીવનમાં નિરંતર વહેનારી એવી સરિતાઓ છે. જે સમન્વયાત્મક દ્રષ્ટિકોણથી અબાધરૂપે વહી રહી છે.
ધર્મની સંપ્રેરક ચેતનાનું કેન્દ્ર છે કે વ્યક્તિ છે, છતાં પણ સામાજિક વાસ્તવિકતાઓ એનાથી અછૂતી રહી છે, એમ કહેવું અસંગત થશે. ભારતની આ તાત્વિક સમુપલબ્ધિ છે કે તેને સાંસ્કૃતિક સંપ્રદાયની સાથે ધર્મનાં દેદીપ્યમાન રને પણ પ્રાપ્ત થયાં.
ભારતનું સાંસ્કૃતિક વ્યક્તિત્વ એટલું પુરાણું છે, કે જે ધર્મને એથી પણ આગળને કહીએ, પ્રાચીનતર કહીએ તે તે અસંગત નહિ થાય. ધર્મ સંપ્રેરક તત્ત્વ છે અને સંસ્કૃતિ આકર્ષક, બંને વિભિન્ન ચેતનાઓને સ્વન્દિત, આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે. આ સ્થિતિમાં તે બંને એકબીજાથી અપ્રભાવિત જ રહૃાા કરે તે સર્વથા અસંભવિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org