________________
૮૮
ધર્મ અને સંસ્કૃતિ સામયિક કરવું, ભજન-કીર્તન કરવાં એ બધા વ્યક્તિગત સાધનાના તરીકા છે. જે કેઈ એમ સમજે કે આ બધાં સાધનાથી અહિંસાની સાધના પૂરી થઈ જશે તે તે કેવળ ‘ભ્રમ છે.
અહિંસા દ્વારા જ અહિંસક જીવનની કસોટી કરી શકાય છે. અધિકમાં અધિક શેષણનાં સાધને મેળવવા દિનરાત ઝંખના કરવી ને પ્રયત્ન કરવા, શેષણ દ્વારા વધારેમાં વધારે ધન કમાવવાની ધૂન રાખવી, એ અહિંસાની સાધનામાં સૌથી મોટી મુશ્કેલી છે, વિધ્ર છે. જે મનુષ્ય અહિંસાની સાધના ઈરછે છે તેણે સત્ય અને અપરિગ્રહની સાધના અનિવાર્યપણે કરવી પડશે. ડગલે પગલે તેણે એ વિચારવું પડશે કે હું સમાજ માટે કંઈ ભારરૂપ તો નથી થઈ ગયો ? મારે કારણે કયાંય વિષમતાને, દરિદ્રતા અને શેષણને પ્રોત્સાહન તે નથી મળતું? આ પ્રમાણે સંતુલિત ચિંતન કરતાં કરતાં જીવન વ્યવહાર ચલાવતા રહેવું એ અહિંસક ચર્યા માટે આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org