SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં અહિંસા આ તે અહિંસાના રૂપમાં આત્માનું આવરણ છે. જેનાથી કૃત્રિમ સંતોષ થાય છે. જે માણસને કીડી-મકેડીને અને જીવજંતુનાં દુઃખ ઉપર દયા આવે છે તે માણસ દલિત, શોષિત અને દુઃખી માનવની રક્ષા માટે પિતાના પ્રાણ પણ અર્પણ કરી શકે છે. આ પ્રમાણે અહિંસાનો જીવનમાં વ્યવહાર કેવી રીતે કરવું તે આપણે સમજવું જોઈએ. મોટા મોટા અહિંસાવાદીઓને પિતાના નોકરની સાથે જે કેટલીકવાર વ્યવહાર થાય છે તે જોઈને તે દાંત તળે આંગળી દબાવવી પડે છે. તે લીલેરી શાક ખાવામાં તે હિંસા માને છે, પણ પિતાના આશ્રિતને માર મારતાં અચકાતું નથી એટલું જ નહિ પણ તેમની જરૂરિયાતેનું શેષણ કરવામાં પોતાની ચાતુરી અને કુશળતા માને છે. આ અમારી અહિંસાની વિડંબના છે. કામ, ક્રોધ, મેહ વગેરે વિકારને નષ્ટ કરીને માનવી-પ્રેમ, સમાનતા, શેષણને ત્યાગ અને સમભાવની આરાધના કરવી એ જ અહિંસાનું સમ્યફ સ્વરૂપ છે. જેવી રીતે દાંત વચ્ચે જીભ કચડાઈ જવાથી આપણને દાંત ઉપર ક્રોધ નથી આવતો કારણ કે આપણું મન જાણે છે કે જીભ મારી છે ને દાંત પણ મારા છે. એ જ રીતે માનવી માત્રની સાથે પણ આપણે પિતાપણાને ભાવ જોડી દેવો જોઈએ. અને જ્યારે આ રીતે પિતાપણને ભાવ જોડી દેવાશે ત્યારે મનના બધા જ વિકાર અને દેષ મટી જશે, શમી જશે. મેં ઉપર એ વાત કરી કે અહિંસાનું સ્વરૂપ કેવળ વ્યક્તિગત સાધના સુધી જ મર્યાદિત નથી. મંદિરમાં જવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy