________________
ભારતીય સંસ્કૃતિમાં અહિંસા આ તે અહિંસાના રૂપમાં આત્માનું આવરણ છે. જેનાથી કૃત્રિમ સંતોષ થાય છે. જે માણસને કીડી-મકેડીને અને જીવજંતુનાં દુઃખ ઉપર દયા આવે છે તે માણસ દલિત, શોષિત અને દુઃખી માનવની રક્ષા માટે પિતાના પ્રાણ પણ અર્પણ કરી શકે છે. આ પ્રમાણે અહિંસાનો જીવનમાં વ્યવહાર કેવી રીતે કરવું તે આપણે સમજવું જોઈએ. મોટા મોટા અહિંસાવાદીઓને પિતાના નોકરની સાથે જે કેટલીકવાર વ્યવહાર થાય છે તે જોઈને તે દાંત તળે આંગળી દબાવવી પડે છે. તે લીલેરી શાક ખાવામાં તે હિંસા માને છે, પણ પિતાના આશ્રિતને માર મારતાં અચકાતું નથી એટલું જ નહિ પણ તેમની જરૂરિયાતેનું શેષણ કરવામાં પોતાની ચાતુરી અને કુશળતા માને છે. આ અમારી અહિંસાની વિડંબના છે. કામ, ક્રોધ, મેહ વગેરે વિકારને નષ્ટ કરીને માનવી-પ્રેમ, સમાનતા, શેષણને ત્યાગ અને સમભાવની આરાધના કરવી એ જ અહિંસાનું સમ્યફ સ્વરૂપ છે. જેવી રીતે દાંત વચ્ચે જીભ કચડાઈ જવાથી આપણને દાંત ઉપર ક્રોધ નથી આવતો કારણ કે આપણું મન જાણે છે કે જીભ મારી છે ને દાંત પણ મારા છે. એ જ રીતે માનવી માત્રની સાથે પણ આપણે પિતાપણાને ભાવ જોડી દેવો જોઈએ. અને જ્યારે આ રીતે પિતાપણને ભાવ જોડી દેવાશે ત્યારે મનના બધા જ વિકાર અને દેષ મટી જશે, શમી જશે.
મેં ઉપર એ વાત કરી કે અહિંસાનું સ્વરૂપ કેવળ વ્યક્તિગત સાધના સુધી જ મર્યાદિત નથી. મંદિરમાં જવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org