________________
ધર્મ અને સંસ્કૃતિ “ कम्मुणा बंभणो होइ कम्मुणा होइ खक्तिओ वइसो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ॥"
અહિંસાને પ્રારંભ મનુષ્યથી થાય છે, જેવી રીતે શિક્ષણને પ્રારંભ ક, ખ, ગ વગેરે મૂળાક્ષરેથી થાય છે, તેવી રીતે અહિંસાની દૃષ્ટિથી મનુષ્યને જલદી સમજવામાં આવી જાય છે. કેઈપણ દુઃખથી પીડાતા મનુષ્યને જ્યારે નાનું બાળક પણ જુએ છે તે તેના આત્મામાં એક ધ્રુજારી એક કંપ આવી જાય છે અને સમસ્ત આત્માને તે આવરી લે છે. એક સહજ સહાનુભૂતિની ભાવના તેના દિલમાં ઊઠે છે. આ જે સહજ સહાનુભૂતિ છે, હમદર્દી છે, તે જ અહિંસાનું પ્રવેશદ્વાર છે. કોઈને દુઃખી જોતાં જ તેના દુઃખને દૂર કરવાની ઈચ્છા થઈ જાય છે. મનુષ્યને દુખેને પ્રભાવ આત્મા પર બહુ જ જલદીથી પડે છે. એ વાત સાચી છે કે અહિંસાનો આરંભ મનુષ્યથી થશે અને જેમ જેમ આત્માની સંવેદનશીલતા તીવ્ર–તીવ્રતર થતી જશે તેમ તેમ પ્રાણીમાત્રની આત્મૌપમ્ય સમજવાની ભાવના જાગ્રત થશે અને પ્રાણીમાત્રના રક્ષણ માટે માનવી કેવળ પ્રયત્ન નહિ કરશે પરંતુ પિતાનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જશે.
આ કેવી વિડંબના છે કે અહિંસાને દાવ કરનારા માનવી કીડી-મકેડીને બચાવવા પ્રયતન તો કરે છે પણ ભૂખ્યા, નાગા અને દરિદ્ર મનુષ્યોને જોઈ મનમાં કરુણાને ભાવ નથી લાવતા. વાસ્તવિક રીતે જોતાં આ પ્રમાણે કેવળ કીડી-મકોડીને બચાવવાનો પ્રયત્ન કરે તે અહિંસા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org