________________
ભારસ્તીય સંસ્કૃતિમાં અહિંસા અંગ બનાવી એવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી કરીને વિકાસના માર્ગમાં ક્યાંય મુશકેલી ન ઊભી થાય; પણ મનુષ્યને કુટિલ મને પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે એક કામને ઊંચું અને બીજાને નીચું માન્યું. પરિણામે જાતિ–પાંતિ આદિ સંકુચિત ભાવનાઓ પેદા થઈ. કોઈ કામને શ્રેષ્ઠ બતાવવું અને બીજાને હલકું બતાવવું–અ રીતે ઊંચ-નીચપણની કલપનાઓ કરી પરસ્પરના વ્યવહારમાં ભેદ ઉત્પન્ન કરે એ સૌથી મોટી હિંસા છે. પછી સમાજનું કઈ પણ કામ કેમ ન હોય. બધાં કામ સમાન છે અને એ કામ કરનારા બધા જ માનવી પણ સમાન છે. આ જાતનો સમાનતામૂલક દૃષ્ટિકોણ જ સરલ સત્ય વ્યવહાર કરવાની પ્રેરણા આપે છે અને તે જ સાચી અહિંસાનું રૂપ છે.
યુગના આરંભમાં ભગવાન ઋષભદેવે સમાજને ત્રણ ભાગમાં વહેંચી નાખ્ય-અસિ, મસિ, તથા કૃષિ. માનવના મનમાં પેદા થનારી પશુતાને–અપરાધ ભાવનાને રોકવા માટે રક્ષકદળ છે, તે “અસિ” વિભાગમાં આવે છે. જ્ઞાનવિજ્ઞાનની સાધના અને શિક્ષણનું કામ કરવાવાળા “મસિ” વિભાગમાં આવે છે. ઉત્પાદન, વિનિમય અને વ્યાપારની જવાબદારી ઉપાડનાર કૃષિ વિભાગમાં આવે છે. પણ મૂળ પ્રશ્ન તો એ છે કે અહિંસાની દૃષ્ટિથી અસિ, મસિ અને કૃષિનું કામ કરનાર મનુષ્યમાં કઈ જાતને ભેદ નથી. કેઈ ઊંચે નથી, કેઈ નીચે નથી, જાતિભેદ કેવળ માનવને સ્વાર્થ અને દુરાગ્રહ માત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org