________________
ધર્મ અને સંસ્કૃતિ કરવાનું એક સાધન માત્ર છે. જે એ સાધનેને દુરુપયોગ કરવામાં આવશે તે તેનું પરિણામ હિંસાના રૂપે જ પ્રગટ થશે. એ જ રીતે સંપ્રદાયે અને પંથેએ પણ અહિંસાને નામે સંકુચિત મત-વાદને આશ્રય આપવાને કારણે હિંસાને જ પ્રોત્સાહન આપ્યું છે. જે આત્મસાધનાને ભિન્નભિન્ન પ્રકાર માત્ર હતી તે ધાર્મિક પરંપરાઓ જ જે માનવીને માનવીથી જુદો પાડવાનું સાધન બની જશે તે અહિંસાના વિકાસને ઇતિહાસ આગળ કેવી રીતે વધી શકશે ? મારે આશય એટલો જ છે કે માનવ સમાજની વચ્ચે ભેદની દીવાલ ઊભી કરવી તે સર્વાધિક હિંસાનું કાર્ય છે. એટલા માટે અહિંસાનું પહેલું રૂ૫ એ જ હેઈ શકે કે આ જાતના જડતાપૂર્ણ ભેદને નષ્ટ કરવામાં આવે.
આ ભેદની દીવાલ મનુષ્ય પોતાને સ્વાર્થ સાધવાને માટે ઊભી કરી છે. નહિ તે સમાજમાં કામની ઉચિત વહેંચણ બહુ જ સારી રીતે કરવામાં આવી હતી. સમાજની આવશ્યકતા મુજબ કેટલાક લોકોને જ્ઞાન-વિજ્ઞાનની સાધના અને તેના પ્રચારનું કામ સેંપવામાં આવ્યું. કેટલાક લોકોને નિર્બળનું રક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું. કેટલાક લકોને લેઢાં લાકડાં ચામડાં વગેરેને ઉપગ કરી જરૂરી વસ્તુઓના ઉત્પાદનનું કામ સોંપવામાં આવ્યું. અને કેટલાક લેકેને વસ્તુઓના વિનિમય કરી–વેપાર કરી એકબીજાની જરૂરિયાત પૂરી કરવાનું કામ સોંપાયું. આ રીતે એક જ શરીરનાં જુદાં જુદાં અંગો પાસેથી જેવી રીતે જુદું જુદું કામ લેવામાં આવે છે તેવી જ રીતે સમાજનાં જુદાં જુદાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org