________________
ભારસ્તીય સંસ્કૃતિમાં અહિંસા
૮૩ કેઈ ખાડામાં બંધ કરી દેવાથી થાય છે. સંપ્રદાયવાદના ઘેરામાં બંધ કરી દેવાથી અહિંસાએ અનેક વિકૃતિઓ પેદા કરી-તેમાંથી કાયરતા જન્મી ને પોષણ પામી અને ધર્મ જોખમમાં છે એવી ઘોષણા કરીને હિંસાને પ્રોત્સાહન આપ્યું. એટલા માટે અહિંસાના પાલન અને પ્રચાર માટે તેને બધાં જ બહારનાં બંધનથી મુક્ત રાખવી પડશે.
માણસે પિતાની સગવડ માટે ભાઈ-બહેન, પતિપત્ની, મા-બાપ વગેરે સંબધે ઊભા કર્યા. આ સંબંધને ઉપયોગ જો માનવતાના વિકાસમાં કરવામાં આવે તે તો ઠીક છે. પરંતુ આ જ સંબંધને સાંકડા વર્તુળનું રૂપ આપવામાં આવે અને આ સંબંધને કારણે સમાજ સાથે દ્વેષ કરવામાં આવે તે અહિંસાનો વિકાસ થઈ શકશે નહિ. એ જ રીતે સમાજમાં સગવડ માટે વર્ગો બનાવવામાં આવ્યા, તથા વ્યવસ્થાની દૃષ્ટિથી પૃથ્વી ઉપર સીમારેખાઓ આંકવામાં આવી. પણ આ બધાને ઉપગ કેવળ વ્યવસ્થા અને સગવડ માટે છે. જે આ મૌલિક ઉદેશને ભૂલી જવામાં આવે અને પ્રાંત તથા રાષ્ટ્રની સીમાઓને મેહ ઉત્પન્ન થઈ જાય, તો એ વ્યવસ્થા જ હિંસાનું રૂપ ધારણ કરી લે છે. કારણ કે સમસ્ત વિશ્વના મનુષ્યમાં એક જ સ્વરૂપવાળે આત્મા વસે છે. આ વિચાર જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી ભાષા, પ્રાંત, અથવા રાષ્ટ્રના નામે સંકીર્ણતાને આશ્રય મળશે નહિ.
ભાષાના નામે મનના ટુકડા કરી લેવા એ તે સાવ અણસમજ છે મૂખર્તા છે, કારણ ભાષા ભાવને વ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org