________________
૮૨
ધર્મ અને સંસ્કૃતિ પણ જરૂરી છે. એટલા માટે તે અલગ અલગ હેવા છતાં પણ એકરૂપ છે. પગમાં કાંટે વાગતાં જ મનની પ્રેરણાથી હાથ તુરત જ કાંટાને કાઢવા માટે તત્પર બની જાય છે. હાથને તેમ કરવા માટે શીખવવું પડતું નથી. પગને કાંટે કાઢતી વખતે હાથ એમ વિચાર નથી કરતે કે પગ ગંદા છે, મારાથી નીચે છે-હું એને
સ્પર્શ કેમ કરું ? કારણ કે હાથ તથા પગમાં આકૃતિની ભિન્નતા હોવા છતાં યે ચેતન્યનું એકત્વ છે. “થા વિષે તથા બ્રહ્માજે” અર્થાત્ જે આ શરીરમાં છે તે જ પૂરા વિશ્વમાં છે. શરીરનાં ભિન્ન આકૃતિ તથા ભિન્ન કાયવાળાં અંગ–પ્રત્યંગની પેઠે જ સમસ્ત જગતમાં અલગ અલગ પ્રાણીઓ છે. પરંતુ “જે માયા”ના સિદ્ધાંતને અનુસરીને સમસ્ત આત્માઓ એક જ સ્વરૂપ છે. આ એકત્વ અનુભૂતિના આધાર પર અહિંસાનું પાલન કરી શકાય છે.
શરીર તથા કાર્ય સંબંધી ગૌણ ઉપાધીઓના મેહમાં પડીને જ્યારે માનવ પોતાને બાંધી લે છે ત્યારે અહિંસાને પૂર્ણ વિકાસ સિદ્ધ થઈ શકતું નથી. વ્યક્તિગત અને સામુદાયિક સર્વ પ્રકારનાં બંધન અહિંસાના વિકાસને રોકવાવાળાં છે. બંધન અને સંકુચિતતાને અહિંસા સાથે જન્મજાત વિષેધ છે. ગંગાની મુક્ત જલધારાની જેમ અહિંસાનો પ્રવાહ પણ મુક્ત અને વ્યાપક હોય છે. અહિંસા, કુટુંબ, પ્રાંત, ભાષા, પંથ, સંપ્રદાય તથા કથિત ધર્મના ખાડામાં બંધ કરી દેવામાં આવે તે તેની પણ એ જ સ્થિતિ થશે, જે સ્થિતિ ગંગાના શુદ્ધ જળને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org