SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. કલ્પસૂત્ર યુક્ત છું અને અજિતેન્દ્રિય છું તેથી તેના પ્રતીકરૂપે ત્રિદંડ ધારણ કરીશ.” ૪૭ - શ્રમણ દ્રવ્ય અને ભાવથી મંડિત હોય છે, સર્વ પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતના ધારક બને છે પણ હું શિખાસહિત છું, હજામત કરાવીશ અને સ્થૂલ પ્રાણાતિપાતનું વિરમણ કરીશ.” « શ્રમણ અકિંચન તથા શીલની સૌરભથી સુરભિત હોય છે પણ હું તેવો નથી, હું અપરિગ્રહ રહીને શીલની સરભના અભાવમાં ચંદન વગેરે સુગંધથી સુગંધિત રહીશ.” ૪૯ શ્રમણે નિર્મોહી હોય છે પરંતુ હું મોહ-મમતાના મળમાં ઘૂમી રહ્યો છું તેના પ્રતીક રૂપે છત્ર ધારણ કરીશ. શ્રમણ ઉઘાડે પગે હોય છે પણ હું ઉપાનહ (કાષ્ઠ પાદુકા) પહેરીશ.”૫૦ શ્રમણ કે જેઓ સ્થવિરકલ્પી છે તે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને જિનકલ્પી નિર્વસ્ત્ર હોય છે પણ હું કષાયથી કલુષિત છું તેથી તેના પ્રતીક રૂપે કાષાયિક -ગેસવા રંગના વસ્ત્રો ધારણ કરીશ.' શ્રમણ પાપભીરુ અને ઘણું જીવોની ઘાત કરનારા એવા આરંભ પરિગ્રહથી મુક્ત હોય છે, સચિત્ત પાણીને ઉપયોગ કરતા નથી પણ હું તેવું પાળી શકતો નથી તેથી પરિમિત જળ, જ્ઞાન અને પીવાને માટે ગ્રહણ કરીશ.” પર આ રીતે મરીચિએ પિતાની નવીન પરિકલ્પનાથી પરિવ્રાજક વેષ અને મર્યાદાનું નિર્માણ કર્યું પ૩ અને ભગવાનની સાથેજ ગ્રામ, નગર વગેરેમાં વિચારવા લાગ્યા. ભગવાનના શ્રમણથી મરીચિની જુદી વેશભૂષા જોઈને લોકોના માનસમાં કુતૂહલ ઉત્પન્ન થતું. જિજ્ઞાસુ બનીને તેઓ તેની પાસે પહોંચતા.૫ મરીચિ પ્રતિબંધ આપીને તેમને ભગવાનના શિષ્ય બનાવતા.૨૬ એક વખત સમ્રાટ ભરતે ભગવાન શ્રી કષભદેવ સમક્ષ જિજ્ઞાસા રજૂ કરી કે પ્રભુ! શું આ પરિષદમાં કઈ વ્યકિત એવી છે કે જે આપની જેમજ આ ભરત ક્ષેત્રમાં તીર્થકર બનશે ? પ૭ જિજ્ઞાસાનું સમાધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy