SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ભગવાનના પૂર્વભવ નવા ભવ્ય મહેલ માટે લાકડાંની જરૂર પડી.૪૦ રાજાના આદેશાનુસાર નયસાર અનેક ગાડાંઓને લઈને અરણ્યમાં પહોંચ્યા. ભેજન તૈયાર કરીને જમવા બેસવાનો વિચાર કરી રહેલ હતા ત્યાં સાર્થ (સમૂહ)થી છૂટા પડીને અથવા રસ્તો ભૂલીને, ભૂખ અને તરસથી પીડાતા તપસ્વી મુનિઓ ત્યાં નીકળી આવ્યા.” નયસારના પૂછવાથી ઉત્તર આપતાં મુનિઓએ કહ્યું : ભદ્ર! અમે સાર્થની સાથે પ્રસ્થાન કર્યું હતું, સાથે વિશ્રામ લીધો અને અમે નજીકના ગામમાં ભિક્ષા માટે ગયા હતા. ફરીને અમારા વિશ્રામસ્થાન ઉપર ગયા તે જોયું કે સાર્થ અમારા આવતાં પહેલાં જ પ્રસ્થાન કરી ગયો હતો. તે પછી અમે માર્ગ ભૂલીને જંગલમાં અહીંતહીં ઘૂમી રહ્યા છીએ.” નયસારે ભક્તિભાવનાથી વિભેર થઈને તે નિર્દોષ આહાર મુનિજનને લહેરાવ્યો, માર્ગ બતાવ્યો, મુનિઓએ પણ ઉપદેશ આપીને તેને મોક્ષમાર્ગ બતાવ્યો. નયસારે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને પરિત સંસારી (અલ્પ સંસારી) બન્યા. (૨) પ્રથમ દેવક નયસાર ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં એક પલ્યોપમની સ્થિતિવાળા મહર્દિક દેવ બન્યા. ૪૩ (૩) મરીચિ (ત્રિદંડી) | નયસારને જીવ સ્વર્ગનું આયુષ્ય પૂરું થતાં ત્રીજા ભવમાં ચક્રવર્તી સમ્રાટ ભારતના પુત્ર મરીચિના રૂપમાં ઉત્પન્ન થયા. ૪૪ ત્યાં ભગવાન શ્રી 2ષભદેવનું પ્રથમ પ્રવચન સાંભળીને સાધુપણું અંગીકાર કર્યું ૫ પરંતુ એક વખત ભયંકર ગરમીના તાપથી પીડાતાં મરીચિ સાધનાના કઠેર કાંટાવાળા માર્ગથી વિચલિત થઈ ગયા. તેના અંતરમાં એવી વિચારલહેરીઓ તરંગિત થઈ કે “મેસ્પર્વત જે આ સંયમને ભારે બાજે હું એક મુહૂર્ત પણ સહન કરવા માટે સમર્થ નથી. શું મારે ફરી ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરવો? નહિ, કદાપિ નહિ. પરંતુ જ્યારે સંયમનું વિશુદ્ધપણે પાલન થઈ શકતું નથી ત્યારે શ્રમણષ છોડી દઈને નવીન વેષભૂષા અપનાવવી, એ જ ઊંચિત છે. ૪૬ તેમણે સંકલ્પ કર્યો-“શ્રમણ સંસ્કૃતિના શ્રમણ ત્રિદંડ-મન વચન અને કાયાના અશુભ વ્યાપારોથી રહિત હોય છે, ઈન્દ્રિયવિજેતા હોય છે પરંતુ હું ત્રિદંડથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy