SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપક્રમ : દસ ક૯૫ ૧૫ માટે એવું વિધાન નથી. તેઓ વર્ષા વગેરેના કારણે રોકાતા પણ હતા અને કારણ ન હોય તો વિહાર પણ કરી જતા હતા. ૭ આ દસ કલ્પમાં (૧) આલય (૨) ઓદ્દેશિક (૩) પ્રતિક્રમણ (૪) રાજપિંડ (૫) માસ કલ્પ (૬) પર્યુષણા કલ્પ એ છ કલ્પ અસ્થિર છે. ૮ (૧) શય્યાતરપિંડ (૨) ચોથા મહાવ્રતરૂપધર્મ (૩) પુરુષષ્ઠ (૪) કૃતિકર્મ એ ચાર કલ્પ અવસ્થિત છે અને ચોવીસેય તીર્થકરોના શાસનમાં માન્ય છે. ૭૯ – કલ્પઃ ત્રીજું ઓષધ કલ્પના મહત્ત્વનું પ્રતિપાદન કરતાં પૂર્વાચાર્યોએ એક વિચારપ્રધાન દષ્ટાંત આપેલ છે. ક્ષિતિપ્રતિષ્ઠ નગર હતું. જિતશત્રુ નામના રાજા ત્યાં રાજય કરતા હતા. ચિર પ્રતીક્ષા પછી, ઢળતી વયે તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પુત્ર સદા સ્વસ્થ અને પ્રસન્ન બન્યો રહે તે માટે રાજાએ તેના રાજ્યના ત્રણ સુપ્રસિદ્ધ વૈદ્યને લાવ્યા અને તેમને કહ્યું: “વૈદ્યરાજ! એવું ઔષધ બતાવો કે જેના સેવનથી મારો પુત્ર ગુલાબના ફૂલની માફક સદા ખીલતો રહે.” તે વૈદ્યોમાંથી પ્રથમ વૈધે કહ્યું –“રાજન! મારા ઔષધમાં એવો ચમત્કાર છે કે જે શરીરમાં કેઇપણ જાતને રોગ હોય તો સેવન કરતાં જ નષ્ટ થઈ જાય અને જે શરીરમાં રોગ ન હોય તો રોગ ઉત્પન્ન થઈ જાય.” રાજાએ કહ્યું: વિદ્યવર! મને એવા ઔષધની આવશ્યકતા નથી, રેગને નિમંત્રણ આપવાવાળું એ ઔષધ શું કામનું?” બીજા વિઘે કહ્યું: “રાજન! મારા ઔષધમાં અપૂર્વ શક્તિ છે. શરીર વ્યાધિથી ઘેરાયેલ હોય તો વ્યાધિથી મુક્ત થઈ જાય પરંતુ જે શરીરમાં વ્યાધિ ન હોય તો ઔષધ કંઈ લાભ પણ નહિ કરે તેમ હાનિ પણ નહિ કરે.” રાજાએ કહ્યું: વૈદ્યવર! આપનું ઔષધ તો રાખમાં ઘી નાખવા સમાન છે. તેવા ઔષધની પણ મને આવશ્યકતા નથી.” ત્રીજા વૈદ્ય કહ્યું – “રાજન મારું ઔષધ વિલક્ષણ ગુણવાળું છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy