SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કલ્પસૂત્ર પાંચમ, દસમ અને પાખી એ પર્વોમાં જ પર્યુષણ કહ્યું કરવું જોઈએ, અન્યતિથિ કે અપર્વમાં નહિ. આવી જાતનું સામાન્ય વિધાન હવા છતાં પણ વિશિષ્ટ કારણથી આર્યકાલકે થના દિવસે પર્યુષણુની આરાધના કરી હતી પરંતુ તેને અપવાદ ગણવામાં આવેલ છે અને તે કઈ પરંપરાના રૂપમાં માન્ય કરવામાં આવેલ નથી. છર વર્ષાવાસમાં વિશેષ કારણથી શ્રમણ વિહાર કરી શકે છે. સ્થાનાંગ સૂત્રમાં પાંચ કારણોનો નિર્દેશ કરેલ છે. તે આ પ્રમાણે છે: (૧) જ્ઞાન માટે (૨) દર્શન માટે (૩) ચારિત્ર માટે (૪) આચાર્ય કે ઉપાધ્યાય કાળ ધર્મને પામ્યા હોય તે અને (૫) આચાર્ય ઉપાધ્યાય વગેરેની વૈયાવૃત્યને માટે ૭૩ કલ્પસૂત્રની ટીકાઓમાં કેટલાં અન્ય કારણ પણ વર્ષાવાસમાં વિહાર કરવા માટે બતાવેલ છે જેવા કે- દુષ્કાળ, ભિક્ષાની ઉપલબ્ધિ ન હોય, રાજપ્રકોપ થાય, રોગ ઉત્પન્ન થાય, જીવોની ઉત્પત્તિનું આધિકય હોય, વગેરે વગેરે જ - વર્ષાવાસ સમાપ્ત થતાં શ્રમણે વિહાર કરવો જોઈએ પણ જે વૃષ્ટિનું આધિક્ય હાય, વરસાદથી રસ્તા દુર્ગમ કે ભાંગી ગયા હોય, કાદવ કીચડ વધુ હોય, બીમારી વગેરેનું કોઈ કારણ હોય તો તે વર્ષાવાસ પછી પણ રોકાઈ શકે છે. ૫ - વર્ષાવાસને માટે પણ તે જ ક્ષેત્ર ઉત્તમ માનવામાં આવેલ છે કે જ્યાં તેર ગુણ હેય- તે આ પ્રમાણે –(૧) જ્યાં વિશેષ કાદવ ન હોય (૨) અધિક જીવોની ઉત્પત્તિ ન હોય (૩) શૌચ-સ્થળ નિર્દોષ હોય (૪) રહેવાનું સ્થાન શાંતિ આપનારું હોય (૫) ગોરસની ઉપલબ્ધિ યોગ્ય રીતે થતી હોય (૬) જનસમૂહ વિશાળ અને ભદ્રપરિણામી હોય (૭) સુજ્ઞ વૈદ્ય હોય (૮) ઔષધ સુલભ હોય (૯) ગૃહસ્થ વર્ગ ધન, ધાન્યાદિથી સમૃદ્ધ હોય (૧૦) રાજા ધાર્મિક હોય (૧૧) શ્રમણનું બ્રાહ્મણો દ્વારા અપમાન ન થતું હોય (૧૨) ભિક્ષા સુલભ હોય (૧૩) જ્યાં સ્વાધ્યાય માટે યોગ્ય સ્થાન હોય. ૭૬ ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના શ્રમણને માટે વર્ષાવાસ-પર્યુષણાનું પૂર્ણ વિધાન છે અર્થાત તેઓ ચાર માસ સુધીના નિયત કાળમાં એક જ ક્ષેત્રમાં વાસ કરે છે. શેષ બાવીસ તીર્થકરોના શ્રમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy