SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. કલ્પસૂત્ર –– * પર્યુષણા કલા પરિઝ ઉપસર્ગ સાથે વસુ ધાતુથી “અનઃ” પ્રત્યય લગાડતાં પર્યુષણ બને છે. જેને અર્થ છે આત્માની સમીપે રહેવું. પરભાવમાંથી ખસીને સ્વભાવમાં રમણ કરવું. આત્મ-મજજન, આત્મ-રમણ કે આત્મરથ થવું. આત્મરમણનું તે કાર્ય એક દિવસ સામૂહિકરૂપથી મનાવવામાં આવે છે અને તે “પર્વ' કહેવામાં આવે છે. આ પવિત્ર પર્વ અષાઢી પૂર્ણિમાથી ઓગણપચાસ અથવા પચાસમા દિવસે મનાવવામાં આવે છે. * જેને સંવત્સરી મહાપર્વ કહે છે. પર્યુષણ -કલ્પને બીજો અર્થ છે એક સ્થાન પર નિવાસ કરો. તે સાલંબન અને નિરાલંબન રૂપ બે જાતનાં છે. સાલંબનનો અર્થ છે સકારણ અને નિરાલંબનનો અર્થ છે કારણરહિત. નિરાલંબનમાં પણ જન્ય અને ઉત્કૃષ્ટ રૂપ બે ભેદ છે. ૪૦ પર્યુષણના પર્યાયવાચી શબ્દ આ રીતે બતાવવામાં આવેલ છે. (૧) પરિયાયવસ્થવણું (૨) પmોસમણ (૩) પાઈયા (૪) પરિવસના (પપજુસણ () વાસાવાસ (૭) પઢમસમોસરણ (૮) ઠવણ અને (૯) જેટ્રોગ્રહ. જો કે આ બધાં નામે એકાથી છે તે પણ વ્યુત્પત્તિભેદના આધારે તેમાં કાંઈક અર્થભેદ પણ છે અને તે અર્થભેદ પર્યુષણથી સંબંધ રાખતી વિવિધ પરંપરાઓ અને તે નિયતકાળમાં કરવામાં આવતી ક્રિયાઓનું મહત્ત્વપૂર્ણ નિદર્શન કરે છે. તે અર્થોથી કાંઈક ઐતિહાસિક તથ્ય પણ વ્યક્ત થાય છે. - પર્યુષણ કાળના આધારથી કાળગણના કરીને દીક્ષા પર્યાયની જયેષ્ઠતા અને કનિષ્ઠતા ગણવામાં આવે છે અર્થાત્ જેટલાં પર્યુષણ કર્યા હોય તેટલાં જ દીક્ષા પર્યાયમાં જયેષ્ટ, પર્યુષણકાળને એક જાતનું ‘વર્ષમાન” ગણવામાં આવે છે તેથી પર્યુષણને દીક્ષા પર્યાયની વ્યવસ્થાનું કારણ માનેલ છે. વર્ષાવાસમાં જુદી જુદી જાતની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી કાંઈક વિશેષ પર્યાયે (ક્રિયાઓ)નું આચરણ કરવામાં આવે છે તે કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy