SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કલ્પસૂત્ર. ચેટક ભગવાન પાર્શ્વના ધર્મનું પાલન કરવાવાળા હતા. ૪૦ ભગવાન મહાવીરના માતાપિતા પાર્શ્વનાથની પરંપરા માનવાવાળા શ્રમણોપાસક હતા. સુપ્રસિદ્ધ બદ્ધ ધર્માનુયાયી અને વિદ્વાન ધર્માનંદ કૌશામ્બી કહે છે કે તથાગત બુદ્ધ તેમના પૂર્વ જીવનમાં પાર્શ્વનાથ પરંપરાનું અનુસરણ કર્યું હતું.' દસમી સદીના દિગંબરાચાર્ય દેવસેનના અભિમતાનુસાર મહાત્મા બુદ્ધ પ્રારંભમાં જૈન હતા. જૈનાચાર્ય પિહિતાસવે સરયુ નદી ઉપર અવસ્થિત પલાશ નામના ગામમાં પાર્શ્વના સંઘમાં તેમને દીક્ષા આપી હતી. અને જેનું નામ બુદ્ધકીર્તિ રાખ્યું. શ્રીમતી રાઈસ ડેવીલ્સનના અભિમતાનુસાર બુદ્ધ સર્વ પ્રથમ ગુરુની અન્વેષણમાં વૈશાલી પહોંચ્યા ત્યાં આચાર અને ઉદકથી તેનો સંપર્ક થયો તે પછી તેમણે જૈન ધર્મ તપવિધિનો અભ્યાસ કર્યો. ડટર રાધાકુમુદ મુકરજીનું માનવું છે કે બુદ્ધ તે યુગની પ્રચલિત બન્ને સાધનાનો આત્માનુભવ માટે અભ્યાસ કર્યો. આચાર અને ઉદકના નિર્દેશથી બ્રાહ્મણ માર્ગને અને પછી જૈન માર્ગને અને તેના પછી પોતાના સ્વતંત્ર સાધના માર્ગને.૪૪ મહાત્મા બુદ્ધ જૈનધર્મની દીક્ષા ગ્રહણ કરી કે નહિ, તે પ્રશ્નને આપણે મહત્ત્વ ન પણ આપીએ તથાપિ તે સ્પષ્ટ છે કે તેના અહિંસા ધર્મના મૂળ આધાર ભ. પાર્શ્વનાથની પરંપરા છે. કેમકે જે શબ્દોનો પ્રયોગ કરેલ છે તે ભગવાન પાર્શ્વનાથની પરંપરાની અધિક નજીક છે, મહાત્મા બુદ્ધના મુખ્ય શિષ્ય મોગલ્યાયન પણ પહેલાં ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરામાં હતાં." વસ્તુમાં પણ ભગવાન પાર્શ્વનાથને ધર્મ ફેલાયેલો હતો. અંગુત્તર નિકાયની અઠકથા અનુસાર ગૌતમ બુદ્ધના કાકા ‘વપૂ” નિગ્રંથ શ્રાવક હતા.૪૬ ન્યગ્રોધારામમાં તેની સાથે બુદ્ધને સંવાદ થયો હતો.૬૭ ભગવાન મહાવીરના શાસનકાળમાં અનેક પાર્શ્વ–પત્નીય શ્રાવક અને શ્રાવિકા હતાં કે જેને ४० वेसालिए पुरीए सिरिपासजिणेससासणसणाहो हेहयकुलसंभूओ चेडगनामानिवो आसि ।। --उपदेशमाला श्लोक ९२ ४१. समणस्स णं भगवओ महावीरस्स अम्मापियरो पासावच्चिज्जा समणोवासगा वावि होत्था-- –– વારાંગ ૨, પૂઢિવા રૂ, સૂ. ૪૦૨ ४२. भारतीय संस्कृति और अहिंसा, तथा 'पार्श्वनाथ चा चातुर्याम धर्म, पुस्तकें ४३. सिरिपासणाहतित्थे, सरयूतीरे पलासणयरत्थो । पिहियासवस्स सिस्सो, महासुदो बुड्ढकित्ति मुणी। --दर्शनसार ६ ४४. हिन्दुसभ्यता, पृ. २३९. ४५. धर्मपरीक्षा, अध्याय १८ ४६. अंगुत्तर निकाय की अट्टकथा, भाग २ पृ. ५५९ ४७. एकं समयं भगवा सक्केसं बिहरति कपिलवत्थस्मि अथ खो वप्पो सक्को निगण्ठ सावगो इ. ।। --અંગુત્તર નાથ, તુવનિપતિ મદવ, વ ત્ત મr. ૬. ૨૨–-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy