SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના: ૨૯ અભિમતના સ્વીકાર કરવામાં આવે તે પાર્શ્વનાથનું અસ્તિત્વ ઈસ્વીસન પૂર્વે નવમી શતાબ્દીમાં ઠરે છે. જયોર્જ કાર્પેન્ટીઅરનું મંતવ્ય છે “પાર્શ્વ ઐતિહાસિક પુરુષ છે અને આજે જૈન ધર્મના સાચા સ્થાપન કર્તાના રૂપમાં મનાવા લાગ્યા છે. કહેવાય છે કે મહાવીરથી ૨૫૦ વરસ પહેલા તેનું નિર્વાણ થયું તે સંભવિત રીતે ઈસુથી પહેલાં નવમી શતાબ્દીમાં રહેલ હશે ૩ એચ. સી. રાય ચૌધરીએ લખેલ છે “જૈન તીર્થંકર પાર્શ્વના જન્મ ઈસ્વીસન પૂર્વ ૮૭૭ અને નિર્વાણ કાળ ઈસ્વીસન પૂર્વ ૭૭૭ છે.૪ અમારી દષ્ટિથી ભગવાન પાર્શ્વનાથના સમયમાં જે વિદ્વાનેમાં મતભેદ ષ્ટિગેાચર થાય છે તેનું મૂળ કારણ કોઈએ ભ. પાર્શ્વનાથનું નિર્વાણ ભ૦ મહાવીરથી ૨૫૦ વરસ પહેલાં માનેલ છે. કોઈ એ ભગવાન પાર્શ્વના જન્મના ૨૫૦ પછી મહાવીરના જન્મ માનેલ છે અને કોઈએ ભ. પાર્શ્વનાથ પછી ૨૫૦ વરસ બાદ ભગવાન મહાવીરનું નિર્વાણ માનેલ છે. શ્વેતાંબર અને દિગંબર પરંપરાના ગ્રંથોના આધારથી એ પૂર્ણ સિદ્ધ છે કે ભગવાન પાર્શ્વની જન્મભૂમિ સુપ્રસિદ્ધ કાશી રાષ્ટ્રની રાજધાની વારાણસી હતી. કાશી નરેશ અશ્વસેન તેમના પિતા અને વામા તેમની માતા હતાં. પોષ વદ દસમના રોજ તેમનો જન્મ થયો.૩૫ તેના યુગમાં તાપસ પરંપરાનું પ્રાબલ્ય હતું. અજ્ઞાન તપને જ સાચું અને ખરું તપ માનવામાં આવતું હતું. ગૃહસ્થાશ્રમમાં જ તેમણે પંચાગ્નિ તપ કરતાં કમઠને અહિંસાના ઉપદેશ આપ્યો અને ધૂણીમાં સળગતા સાપને નમસ્કાર મહામંત્ર અનુચરથી સંભળાવી તેના ઉદ્ધાર કર્યા.૩૬ સંયમ ગ્રહણ કર્યા પછી ઉગ્ર સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કુરુ કૌશલ કાશી, સુમ્ત, અવંતી, પુણ્ડ, માલવ, અંગ બંગ, કલિંગ, પાંચાલ, મગધ, વિદર્ભ, ભદ્ર, દશાર્ણ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, કોકણ, મેવાડ, લાટ, દ્રાવિડ, કાશ્મીર, કચ્છ, શાક, પલ્લવ, વત્સ આભીર.૩૦ વગેરે પ્રદેશમાં પરિભ્રમણ કરીને વિવેકમૂલક ધર્મ સાધનાના માર્ગ બતાવ્યો. ભગવાન પાર્શ્વનાથનાં આત્મા, વ્રત વગેરે તાત્વિક વિષયોને જનમાનસ ઉપર એટલા અધિક પ્રભાવ પડયો કે વૈદિક સંસ્કૃતિના ઉપાસકોએ પણ તેમને અપનાવ્યાં.૮ ડૅાકટર વિમલાચરણ લાના અભિમતાનુસાર- “ભગવાન પાર્શ્વનાથના ધર્મના પ્રચાર ભારતના ઉત્ત્તવર્તી ક્ષત્રિયામાં હતા અને તેનું પ્રમુખ કેન્દ્ર વૈશાલી હતું.૩૯ વગિણના પ્રમુખ મહારાજા ३३. कैम्ब्रिज हिस्ट्री आव इण्डिया, जिल्द १ पृ. १५३ में 'द हिस्ट्री आव जैनाज ।' ३४. पोलिटिकल हिस्ट्री ऑफ एन्सियन्ट इण्डिया पृ. ९७ ३५. ( क ) पासनाह चरियं --- देवभद्रसूरि ( ख ) पार्श्वनाथ चरित्र - भावदेव सूरि ३६. तओ भगवया णिययपुरिसवयणेण दवाविओ से पंचणमोक्कारो पच्चक्खाणं च, पडिच्छियं तेण । - चउपपन्नमहापुरिस चरियं पृ. २६२ ३७. सकलकीर्ति, पार्श्वनाथ चरित्र, १५/७६-८५।२३।१७-१९ ૨૮. રાધાક્ઝાન ્—-દૈન્ડિયન ોિસછી માય ? પૃ. ૨૪૨ ‘તરેય, કૌશીતળી, તૈત્તિરીય, છાન્વોય और बृहदारण्यक - ये सभी उपनिषद् प्राचीनतम हैं । ये बुद्ध के पूर्व के हैं। इनका कालमान ईसा पूर्व दसवीं शताब्दी से तीसरी शताब्दी तक माना जा सकता है ।" - राधाकृष्णन् (ख) दी प्रिंसिपल उपनिषदाज् पु. २२ (ग) पोलिटिकल हिस्ट्री ऑफ एन्सियन्ट इण्डिया, पृ. ५२, एच. सी. राय चौधरी (૧) ટી લેવાન, પૃ. ૪૬-૪૮ ૬. મેનમૂળ, રૂo Kshatriya clause in Buddhist India, p. 82. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy