SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના: શકે છે. પરંતુ તેનાથી એવું અનુમાન આસાનીથી નીકળી આવે છે કે યજ્ઞો વધવાના કારણે બ્રાહ્મણ એટલા હિસપ્રિય થઈ ગયા હતા કે સમાજ તેમના પ્રત્યે ધૃણા કરવા લાગ્યો અને બ્રાહ્મણોનું પદ તેમણે ક્ષત્રિયોને દઈ દીધું. પ્રતિક્રિયા કેવળ બ્રાહ્મણ ધર્મ પ્રત્યે જ નહિ પરંતુ બ્રાહ્મણોના ગઢ કુરુ પંચાળપ્રત્યે પણ જાગી. અને વૈદિક સભ્યતા પછી તે સમય આવી ગયો કે જ્યારે ઈજજત કરું પંચાલની નહિ પણ મગધ અને વિદેહની થવા લાગી. કપિલવસ્તમાં જન્મ લેતા પહેલાં તે વખતના સ્વર્ગની દેવયોનિમાં બિરાજી રહેલ હતા. ત્યારની કથા છે કે દેવતાઓએ તેમને કહાં કે, “હવે આપને અવતાર થવો જોઈએ. તેથી આપ વિચારી લ્યો કે કયા દેશ અને કયા કાળમાં જન્મગ્રહણ કરવામાં આવે.” તે વખતે તેમણે વિચાર કરી કહ્યું કે મહાબુદ્ધના અવતાર છે... તે મગધ દેશ અને ક્ષત્રિય વંશ જ હોઈ શકે છે.” “ભગવાન મહાવીર વર્ધમાન પણ પહેલા એક બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા હતા. પરંતુ ઈ૮ વિચાર્યું કે એવડા મોટા મહાપુરુષને જન્મ બ્રાહ્મણ વંશમાં જ કઈ રીતે થઈ શકે! તેથી તેમણે બ્રાહ્મણીનો ગર્ભ ચોરાવીને તેને એક ક્ષત્રિયાણીની કક્ષીમાં નાખી દીધો એવી કથાઓનો સાર નિકળે છે કે તે દિવસમાં એવો અનુભવ કરવા લાગ્યા હતા કે અહિંસા ધર્મના મહાપ્રચારક બ્રાહ્માણ થઈ શકતા નથી તે કારણે બુદ્ધ અને મહાવીરને ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થવાની કલપના લોકોને ઘણી સારી લાગવા લાગી.૨૩ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આવે છે કે “ક્ષત્રિયોથી ઉત્કૃષ્ટ કોઈ નથી. રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણ નીચે બેસીને ક્ષત્રિયની ઉપાસના કરે છે. તે ક્ષત્રિયમાં જ પિતાના યશને સ્થાપિત કરે છે. ૨૪ પ્રસ્તુત કથાની તુલના શ્રમણ ભગવાન મહાવીરના જીવનના આ પ્રસંગથી કરી શકાય છે. જયારે ભગવાન સમવસરણમાં ફટિક સિંહાસન ઉપર બેસે છે, તેના પ્રમુખ શિષ્ય ગૌતમાદિ કે જે વર્ણથી બ્રાહ્મણ છે તેઓ નીચે બેસીને તેની ઉપાસના કરે છે. જ્ઞાનને અલૌકિક પ્રકાશ પ્રાપ્ત કરે - જે રીતે કલ્પસૂત્રમાં કહેલ છે-ન કદી બન્યું છે, ન બને છે, કે ન બનશે. અરિહંત ચક્રવતી બળદેવ અથવા વાસુદેવ અંત-પ્રાંત તુચ્છ, કૃપણ ભિક્ષુક અને બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા, જન્મે છે કે જન્મશે. અરિહંત ચક્રવર્તી બળદેવ, વાસુદેવ ઉગ્ર, ભગ, રાજન્ય, ક્ષત્રિય, હરિવંશ કુળમાં અથવા એવી જાતના ઊંચા કુળમાં જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે. એવી રીતે બદ્ધ ગ્રંથ લલિત વિસ્તરામાં પણ કહેલ છે.-બૌદ્ધિસત્વ ચાંડાલ કુલ, વેણુકાકુલ, રથકાકુલ, પુક્કસકુલજેવા હીનકુલમાં જન્મ લેતા નથી. તેઓ કાં તો બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અથવા ક્ષત્રિય કુળમાં જ્યારે લોકો બ્રાહ્મણ પ્રધાન હોય છે ત્યારે બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અને જ્યારે ક્ષત્રિય પ્રધાન હોય છે ત્યારે ક્ષત્રિય કુળમાં જન્મ લે છે. ઉપરોકત ચર્ચાથી આપણે એવા નિર્ણય ઉપર પહોંચીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં ક્ષત્રિયનું મહત્ત્વ અધિક રહેલ છે. જૈન સંસ્કૃતિમાં બધા તીર્થકર ક્ષત્રિય રહેલ છે તેઓ આત્મ વિદ્યાના પુરસ્કર્તા અને અહિંસાના પ્રબળ પ્રચારક રહેલ છે. ૨૩. સંસ્કૃતિ છે વાર ધ્યા, પૂ. ૬-૧-૨? २४. बृहदारण्यकोपनिषद ११४१११, पृ. २९६ ૨૬. ગાવસ્થનતિ . २६. कल्पसूत्र 3. ત્રિવિરતા પૃ. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy