SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના: ૨૫ અને કલ્પ દીપિકા ટીકાઓનું ખંડન પણ અહીંતહીં કરવામાં આવેલ છે. પ્રશસ્તિથી સ્પષ્ટ છે કે ટીકાનું સંશોધન ઉપાધ્યાય ભાવવિજ્યજીએ કરેલ છે. કલ્પકૌમુદી - આ ટીકાના લેખક ઉપાધ્યાય શાંતિસાગરજી છે. વિક્રમ સંવત ૧૭૦૭માં. તેમણે આ ટીકા પાટણમાં લખી. શ્લેક સંખ્યા ૩૭૦૭. ઉપાધ્યાય વિનયવિજ્યજીની કડવી આલોચના કરવામાં આવી છે. ઉપાધ્યાયજીએ અબાધિકા ટીકામાં જે ક૫ કિરણાવલી ટીકાનું ખંડન કર્યું તેને પ્રત્યુત્તર તેમાં દીધેલ છે. કલ્પવ્યાખ્યાન પદ્ધતિ - તેના સંકલનકાર વાચક શ્રી હર્ષસાર શિષી શિવવિધાન ગણી છે. તેમાં પૂર્ણ કલ્પસૂત્રને અભાવ છે મુનિ શ્રી કલ્યાણવિજ્યજીના અભિમતાનુસાર એની રચના ૧૭મી શતાબ્દીમાં થયેલી હોવી જોઈએ. કલ્પદ મ કલિકા - આ ટીકાના રચયિતા ખરતરગચ્છીય ઉપાધ્યાય લક્ષમીવલ્લભ છે. ટીકામાં કયાંય પણ રચના કાળનો નિર્દેશ કરવામાં આવેલ નથી. ભગવાન પાર્શ્વનાથનાં જીવની સર્વયુગલની ઘટના તથા ભગવાનના મુખારવિંદથી મહામંત્ર સંભળાવવાની ધટનાઓ૧૫ શ્વેતાંબર અર્વાચીન ચરિત્ર ગ્રંથના અનુસાર છે. કલ્પલતા - આ ટીકાના રચયિતા સમય સુંદર ગણિ છે. વિક્રમ સંવત ૧૬૮૫ની આસપાસ તેમણે આ રચના કરેલ છે. વૃત્તનું ગ્રંથમાન ૭૭૦૦ કલોક પ્રમાણ છે. હર્ષનંદને આ ટીકાનું સંશોધન કરેલ છે. કલ્પસૂત્ર ટિપ્પણક-તેના રચયિતા આ. પૃથ્વીચંદ્ર સૂરિ છે. શ્રી પુણ્યવિજ્યજીના અભિમતાનુસાર તે ચૌદમી શતાબ્દીમાં હોવા જોઈએ. શ્લોક પરિમાણ ૬૮૫ છે. કલ્પપ્રદીપ: આ ટીકાના રચયિતા સંઘવિજ્ય ગણિ છે. કલ્પસૂત્રાર્થ પ્રબોધની - આ ટીકાના રચયિતા અભિધાન રાજેન્દ્ર કોપના સંપાદક શ્રી. રાજેન્દ્ર સૂરિ છે. ટીકા સારા પ્રમાણમાં વિસ્તૃત છે. આ ટીકાઓ સિવાય કલ્પસૂત્રવૃત્તિ - ઉદયસાગર, કલ્પદુર્ગપદ - નિર્યુકિત, પર્યુષણ પર્વ વિચાર, કલ્પમંજરી, રસહજકીર્તિ કલ્પસૂત્રજ્ઞાન દીપિકા - જ્ઞાનવિજ્ય અવગુણ, અવચૂરિ, ટબ્બા, વગેરે અનેક ટીકાઓ ઉપલબ્ધ થાય છે. લોકાગચ્છના યતિયોના દ્વારા નિર્મિત કલ્પસૂત્ર પર બે ત્રણ ડબ્બાઓ પણ મળે છે. ડૉકટર હર્મન જેકોબીએ કલ્પસૂત્રને અંગ્રેજીમાં અનુવાદ પ્રકાશિત કર્યો છે અને તેના ઉપર મહત્વપૂર્ણ ભૂમિકા પણ લખેલ છે. સ્થાનકવાસી મુનિશ્રી પ્યારચંદજી મહારાજે સંક્ષિપ્ત હિંદી અનુવાદ સહિત કલ્પસૂત્ર પ્રકાશિત કરેલ છે. સુરાગ મેના બીજા ભાગમાં મુનિ પુષ્કભિકખુજીએ પણ મૂળ કલ્પસૂત્ર છાપેલ છે. પૂજ્ય પંડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજે પણ નવીન મૌલિક કલ્પસૂત્રનું નિર્માણ કરેલ છે. યતિ રાયચન્દજી કૃત કલ્પસૂત્રનું હિન્દી પદ્યાનુવાદ પણ પ્રકાશિત થયું છે. એ રીતે કલ્પસૂત્ર ઉપર વિશાળ વ્યાખ્યા સાહિત્ય સમયે સમયે નિમિત થયેલ છે કે જે તેની લોકપ્રિયતાનું જવલંત પ્રમાણ છે. શ્રમણ ભગવાન મહાવીર વેંકટર વિટરનિટ્સના અભિમતાનુસાર કલ્પસૂત્ર ત્રણ ભાગમાં વિભકત છે. જિનચરિત્ર સ્થવિરાવલી અને સામાચારી. - જિન ચરિત્રમાં સર્વપ્રથમ શ્રમણ ભગવાન મહાવીરની જીવન ગાથા આવે છે. ભગવાન મહાવીરના સંક્રમણની ઘટના અતિઅધિક વિસ્તારની સાથે ચિત્રિત કરવામાં આવી છે. તે ઘટના બતાવે છે કે, શ્રમણ સંસ્કૃતિમાં તે શું પણ વૈદિક સંસ્કૃતિમાં પણ ક્ષત્રિયોને જ અધ્યાત્મ વિદ્યાના ગુરુ માન્યા છે. १५ : भगवान् पार्श्व : एक समीक्षात्मक अध्ययन पृ. ७६ ले. देवेन्द्रमुनि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy