SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના : પ્રશ્ન થઈ શકે છે કે આધુનિક દશાશ્રુતસ્કંધની પ્રતિમાં કલ્પસૂત્ર કેમ મળતું નથી? તેની ઉત્તર એવો છે કે જ્યારથી કલ્પસૂત્રના વાંચનને પૃથક પ્રારંભ થયો ત્યારથી સ્થાન ન્યૂન્યાર્થ તેમાં સંક્ષિપ્ત કરી દેવામાં આવ્યું હશે. જો પહેલેથી જ સંક્ષિપ્ત હોત તો નિર્યુકિત અને ચૂણિમાં તેના પદોની વ્યાખ્યા કઈ રીતે આવી? સ્થાનકવાસી જૈન સમાજ દશાશ્રુતસ્કંધને એક પ્રામાણિક આગમ સ્વીકારે છે ત્યારે કલ્પસૂત્ર તેને એક વિભાગ હોવાને કારણે તેને અપ્રમાણિક માનવાનું કોઈ કારણ નથી. મૂળ કલ્પસૂત્રમાં એવો કોઈ પ્રસંગ કે ઘટના આવેલ નથી કે - સ્થાનકવાસી જૈન સમાજની પરંપરાની માન્યતાથી વિરુદ્ધ હાય. શ્રમણ ભગવાન મહાવીરના જીવન ઝાંખીનું વર્ણન આચારાંગના બીજા શ્રુતસ્કંધની સાથે મેળ ખાતું દેખાય છે. ભગવાન ઋષભદેવનું વર્ણન પણ જંબૂઢીપપ્રજ્ઞપ્તિથી વિરુદ્ધ નથી. અન્ય તીર્થકરોના વર્ણન, જેવાં સૂત્ર રૂપમાં અન્ય આગમ સાહિત્યમાં વિખરાયેલાં પડયાં છે તે જ પ્રકારનાં તેમાં પણ છે. સામાચારીનું વર્ણન પણ આગમ સંમત છે. કેટલાક આપવાદિક સૂત્રો પણ એમાં આપેલ છે જેનું સ્પષ્ટીકરણ અન્ય આગમના આધારે મેં વિવેચનમાં કર્યું છે. સ્થવિરાવલીનું નિરૂપણ પણ થોડા પરિવર્તનની સાથે નંદીસૂત્રમાં આપેલ જ છે તેથી અમારી દષ્ટિથી કલ્પસૂત્રને પ્રામાણિક માનવામાં બાધા નથી. પાશ્ચાત્યવિચારકોને એ અભિમત છે કે કલ્પસૂત્રમાં ચૌદ સ્વપ્નનું આલંકારિક વર્ણન પાછળથી જોડવામાં આવેલ છે અને સ્થવિરાવલી તથા સામાચારીને થોડે અંશ પણ પાછળથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ છે. પં. પુણ્યવિજ્યજીનું મંતવ્ય છે કે તે વિચારકોના કથનમાં અવશ્ય કાંઈક સત્ય તથ્ય રહેલ છે કેમકે કલ્પસૂત્રની પ્રાચીનતમ પ્રતિ વિ. સં. ૧૨૪૭ ની તાડપત્રીય પ્રાપ્ત થયેલ છે. તેમાં ચૌદ સ્વપ્નનું વર્ણન નથી અને કેટલીક પ્રાચીન પ્રતિમાં સ્વપ્નનું વર્ણન આપેલ છે પણ એ તો અતિસંક્ષિપ્ત રૂપથી આપેલ છે. નિર્યુકિત, ચૂણિ અને પૃથ્વીરચંદ્ર ટિપ્પણ વગેરેમાં પણ સ્વપ્ન સંબંધી વર્ણનની વ્યાખ્યા નથી. પરંતુ એટલું નિશ્ચિત છે કે જે આજે કલ્પસૂત્રમાં સ્વપ્ન સંબંધી આલંકારિક વર્ણન છે તે એક હજાર વરસથી પણ ઓછું પ્રાચીન નથી. તે કોનું છે તે અન્વેષણીય છે.”૫ કલ્પસૂત્રની નિર્યુકિત, ચૂણિ વગેરેથી એમ સિદ્ધ થાય છે કે ઈંદ્ર આગમન, ગર્ભસંક્રમણ, વ્યાયામશાળા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવળજ્ઞાન, વર્ષાવાસ, નિર્વાણ, અંતકૃતભૂમિ વગેરેનું વર્ણન તેના નિર્માણના સમયે કલ્પસૂત્રમાં હતું અને એ પણ સ્પષ્ટ છે કે જિન ચરિતાવલીની સાથે તે વખતે વિરાવલી અને સામાચારી વિભાગ પણ હતો.' અહીં એ યાદ રાખવું જોઈએ કે સ્થવિરાવલીમાં જે દેવદ્ધિગણી ફામાામણ સુધીનાં નામ આપેલ છે તે શ્રત કેવળી ભદ્રબાહ દ્વારા વણિત નથી પરંતુ આગમ વાંચન વખતે તેમાં સંકલિત કરવામાં આવ્યાં છે. ૬. પત્ર-સ્તાવના –૬. ૬ વI સારાંશ ६. पुग्मिचरिमाण कप्पो, मंगल्लं वद्धमाणतित्थम्मि । दह परिकहिया जिण-गणहराइथेरावलि चरित्तं । --ત્પસૂત્ર નિતિ . ૬૨ पूरिमचरिमाण य तित्थगराणं एम मग्गो चेव जहा वासावासं पज्जोसवेयब्वं पडतु वा वासं मा वा मज्झिमगाणं पुण भयितं । अवि य वद्धमाणतित्थम्मि मंगलणिमित्तं जिणगणहर (राईथेरा) बलिया सव्वेसि च जिणाणं समोसरणाणि परिकहिज्जति । --कल्पसूत्र चूणि पृ. १०१, पुण्यविजयजी सम्पादित Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy