SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના નંદીસૂત્રમાં આગમ સાહિત્યની વિસ્તારવાળી સૂચી પ્રાપ્ત થાય છે. આગમમાં જેટલી શાખાઓ છે તેનું નિરૂપણ તેમાં કરવામાં આવેલ છે. પ્રથમ આગમ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યમાં વિભકત કરીને, ફરીને અંગબાહ્ય અને આવશ્યક વ્યતિરિકત એ બે ભાગમાં વિભકત કરેલ છે. તેના પછી આવશ્યક વ્યતિરિકતના પણ બે ભાગ કરેલ છે, કાલિક અને ઉત્કાલિક, કાલિક શ્રતની સૂચીમાં એક કલ્પનું નામ આવે છે કે જે વર્તમાનમાં બૃહત્કલ્પના નામથી ઓળખવામાં આવે છે અને ઉત્કાલિક શ્રતની સૂચીમાં “ચુલ્લ૯૫શુત’ અને ‘મહાકલ્પશુત’ એવાં બે કલ્પસૂત્રોનાં નામ આવે છે. પં. ગણિ શ્રી કલ્યાણવિજયજીનું માનવું છે કે મહાકલ્પને વિચ્છેદ થયાં ને હજાર વરસથી પણ અધિક સમય થઈ ગયો છે. અને “ચુલ કલ્પશુત’ ને આજે પÚપાણી કલ્પસૂત્ર કહે છે. ' પરનું લેખમાં મુનિ કલ્યાણવિજયજીએ કોઈ પ્રાચીન ગ્રન્થનો આધાર પ્રસ્તુત કરેલ નથી. આગમ પ્રભાકર પં. મુનિશ્રી પુણ્યવિજયજીને અભિમત છે કે મહાકલ્પ’ અને ‘અલ્લકલ્પ' એ આગમ નંદીસૂત્રકાર દેવવાચકના સમયમાં પણ ન હતાં, તેમણે તે વખતે કેટલા યથાશ્રત અને કેટલાંક થાદષ્ટ નામને સંગ્રહ માત્ર કરેલ, આથી “ રલકલ્પ સૂત્રને પર્યુષણ કહ૫સુત્ર માનવાનો મુનિશ્રી કલ્યાણવિજયજીને અભિમત યુકિતયુકત અને આગમ સંમત નથી. સ્થાનાંગ સૂત્રમાં દશાશ્રુતસ્કંધનું નામ” યાદસા (આચારદશા) આપેલ છે તેનાં દશઅધ્યયન છે. તેના આઠમાં અધ્યયનમાં પર્યુષણા કલ્પ છે જે વર્તમાનમાં પર્યુષણા કલ્પસૂત્ર છે તે દશાશ્રુત સ્કંધનું જ આઠમું અધ્યયન છે. દશાશ્રુતસ્કંધની પ્રાચીનતમ પ્રતિઓ (૧૮મી શતાબ્દીના પહેલાંની) કે જે પુણ્યવિજયજી મહારાજના સૌજન્યથી મને જોવા મળી છે તેના આઠમાં અધ્યયનમાં પૂર્ણ કલ્પસૂત્ર આવે છે કે જે એમ સ્પષ્ટ પ્રાગત કરે છે કે કલ્પસૂત્ર કોઈ સ્વતંત્ર કે કલ્પિત રચના નથી પરનું દશાશ્રુતસ્કંધનું જ આઠમું અધ્યયન છે. બીજી વાત દશાશ્રુતસ્કંધ ઉપર કે જે બીજા ભદ્રબાહની નિર્યુકિત છે, જેનો સમય વિક્રમની છઠ્ઠી સદી છે. તેમાં અને તે નિર્યુકિતના આધારથી બનાવેલ ચૂર્ણિમાં, દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનમાં કે જે વર્તમાનમાં પર્યુષણા કલ્પસૂત્ર પ્રચલિત છે, તેનાં પદોની વ્યાખ્યા મળે છે. મુનિ શ્રી પુણ્યવિજયજીને અભિમત છે કે દશાશ્રુતધની ચૂર્ણિ લગભગ સેળ વર્ષ જૂની છે.* १. प्रबंधपारिजात, मुनि कल्याणविजयजी पृ. १४३ लेखक के नाम लिखे पत्र का संक्षिप्त सारांश, पत्र सं. २०२४ वैशाख शुदि ५ शुक्रवार अहમીવી ! आचारदसाणं दस अज्झयणा पण्णता । तं जहा-वीसं असमाहिठाणा, एगवीसं सबला, तेतीसं आसायणाता, अविहा गणिसंपया, दस चित्तसमाहिठाणा, एगारस उवासगपडिमातो, वारस भिक्खपडिमातो, पज्जोसवणकप्पो, तीसं मोहणिज्जठाणा, आजाइट्ठाणं । ४. कल्पमुत्र, प्रस्तावना पृ. ८ -स्थानाङ्ग १० स्थान K Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy