SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ કઠોરવાણી: ક્ષમાપના અને પોતાનાં કટુવચન દ્વારા બીજાઓને ખમાવવાં જોઈએ અને સ્વયં પિતાને ઉપશાંત કરવા જોઈએ તથા બીજાઓને પણ ઉપશાંત કરાવવા જોઈએ. જે સાધર્મિકોમાં પરસ્પર કલહ શાંત ન થાય ત્યારે તેનાથી તેનાં તપ, નિયમ, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય વિગેરે જ્ઞાન, દર્શન, ચારિત્રની હાનિ થાય છે. સંસારની વૃદ્ધિ થાય છે અને લોકોમાં એની અપ્રીતિ અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તે કારણે ભગવાને કહ્યું છે-શ્રમણ ધર્મને સાર ઉપામ-શાંતિ છે. પરસ્પર ક્ષમાની યાચના કરવાથી આત્મામાં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે. ૩૪ મૂલ્ય : वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तओ उवस्सया गिण्हित्तए, वेउब्बिया पडिलेहा साइज्जिया पमज्जणा ॥२८७॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા નિર્ગથ અને નિર્ચથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું કહ્યું છે. ત્રણ ઉપાશ્રયમાંથી બે ઉપાશ્રયની પ્રતિદિન સમ્યફ રીતે પ્રતિલેખના કરવી જોઈએ અને જે ઉપાશ્રયને ઉપયોગ કરવામાં આવે છે તેની પ્રમાર્જના કરવી જોઈએ. વિવેચનઃ વર્ષાવાસમાં જીવોની ઉત્પત્તિ અધિક માત્રામાં થાય છે. સંભવ છે કે જે સ્થાનમાં શ્રમણ અવસ્થિત હોય તે સ્થાન ઉપર જીવોની ઉત્પત્તિ થઈ ગઈ તે તેણે જે બે અન્ય સ્થાનેનું અવગ્રહ લઈને રાખેલ છે તેમાં તે જઈ શકે. જે વર્ષાવાસ પહેલાં અવગ્રહ ન લીધે હોય તે વર્ષાવાસમાં અન્ય સ્થાન ઉપર રાત્રિ-નિવાસ કરી શકતા નથી. તેથી ત્રણ મકાનનું વિધાન કરેલ છે અને સાથે તેની પ્રતિલેખન કરવાનું પણ. પ્રતિલેખના વખતનું સૂચન કરતાં ચૂર્ણિકારે કહેલ છે. ભિક્ષા વખતે બહાર જતાં પૂર્વાહન (સવાર)માં અથવા સાયંકાળ (તાલિય) સુધી દિવસમાં એક વાર અવશ્ય પ્રતિલેખના કરવી જોઈએ.૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy