SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ - કલ્પસૂત્ર जो उवसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा. तम्हा अप्पणा चेव उवसमियठवं, से किमाहु મતિ !? ૩વસમારં તુ સામgo ર૮ધા ' અર્થઃ નિશ્ચિત રીતે વર્ષાવાસ રહેલા નિર્ચ અને નિગ્રંથીઓને આજે જ, પર્યુષણને દિવસે જ કર્કશ અને કટુ કલેશ ઉત્પન્ન થયેલ હોય તે શૈક્ષ–નાના શ્રમણ રાત્મિક ગુરૂજન શ્રમણને ખમાવી લે અને રાત્વિક (ગુરુજન) પણ શૈક્ષને ખમાવી લે. ખમવું, ખમાવયું, ઉપશમવું અને ઉપશમાવવું. કલહના વખતે શ્રમણે સન્મતિ રાખીને સમ્યફ પ્રકારથી પરસ્પર પૃચ્છા કરવાની વિશેષતા રાખવી જોઈએ. જે (કષાયોનું) ઉપશમન કરે છે તેની આરાધના થાય છે અને જે ઉપશમન કરતા નથી તેની આરાધના થતી નથી જેથી પોતે જાતે ઉપશમ (શાંતિ) રાખવો જોઈએ. પ્રશ્ન: હે ભગવન્! એમ શા કારણે કહ્યું છે? ઉત્તરઃ શ્રમણત્વને સાર ઉપશમ જ છે. તેથી તેમ કહેલ છે. વિવેચનઃ શ્રમણ ધર્મને સાર ઉપશમ છે. ક્ષમા છે. ક્રોધ, વિગ્રહ (ઝગડે) વગેરે થવું તે તો એક માનવીય દુર્બળતા છે. પરંતુ થયા પછી તેનાથી મનમાં ગાંઠ બાંધી રાખવી તે સૌથી મોટો આમિક દેષ છે તે કારણે તે વાત ઉપર બળ દેવામાં આવેલ છે કે પર્યુષણના દિવસે તેનાથી પહેલાં અને બાદમાં પણ જે દિવસે પરસ્પર કઠોર કડવા શબ્દોથી કલહ થઈ ગયું હોય, લડાઈ ઝગડો થઈ ગયો હોય ત્યારે નાનાએ તરત જ મોટા પાસે જઈને વિનયપૂર્વક ખમાવવું જોઈએ અને જે મોટાઓથી કદી ભૂલ થયેલ હોય તે તેમણે નાનાને સ્નેહપૂર્વક ખમાવવું જોઈએ. મૂલમાં “ખમિયવં” “ખમાવેયવં” દ્વારા બે વાતોને નિર્દેશ કરેલ છે. બીજાઓના કટુવચન વગેરેને પિતે ખમવા–સહન કરવાં જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy