SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ કલ્પસૂત્ર વાકયથી સિંહ ગુફાવાસી મુનિને પોતાની ભૂલ માલૂમ પડી ગઈ. તેના ગુરુના કથનના રહસ્યની જાણ થઈ ગઈ આવીને ગુરુ સમક્ષ ક્ષમાયાચના કરી. આચાર્ય સ્થલિભદ્રનું મહત્વ કામવિજેતા હોવાના કારણે જ નહિ પણ પૂર્વધારી હોવાના કારણે પણ રહેલ છે. વીર સંવત ૧૧૬ માં તેનો જન્મ થયો. ૩૦ વર્ષની વયમાં દીક્ષા ગ્રહણ કરી ૨૪ વર્ષ સુધી સાધારણ મુનિ પર્યાયમાં રહ્યા અને ૫૪ વર્ષ સુધી યુગ પ્રધાન આચાર્ય પદ ઉપર. ૯૯ વર્ષનું આયુષ્ય ભોગવીને વૈભારગિરિ પર્વત ઉપર ૧૫ દિવસનું અનશન કરીને વીર સંવત ૨૧૫ (મતાંતરથી ૨૧૯)માં સ્વર્ગસ્થ થયાં. ૨ આચાર્ય પ્રવર યૂલિભદ્રની પાટ ઉપર તેમના શિષ્ય-રત્ન મહાન મેધાવી અને ચારિત્રનિષ્ઠ આ મહાગિરિ અને આર્ય સુહસ્તી આસીન થયા. તે બન્ને આર્ય સ્થલિભદ્રની બહેન યક્ષા સાધ્વી દ્વારા પ્રતિબુદ્ધ થયા હતા, આર્ય મહાગિરિ ઉગ્ર તપસ્વી હતા. દશ પૂર્વ સુધી અધ્યયન કર્યા પછી સંઘ સંચાલનની જવાબદારી પિતાના નાના ભાઈ સહસ્તીને સમર્પિત કરીને સ્વયં આર્ય જમ્મુના સમયથી વિચ્છિન્ન જિનકલ્પની અત્યંત કઠોર સાધના કરવા માટે એકાંત શાંત જંગલમાં ચાલ્યા ગયા. અનુશ્રુતિ છે કે એક વખત બન્ને આચાર્યો કૌશબીમાં ગયા. દુષ્કાળથી ઘેરાયેલાં એક દ્રમક (ભિખારી)ને પ્રવજ્યા આપી ને દ્રમક સમાધિ પૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને કુણાલપુત્ર સંપ્રાત થયા. અવંતિ (ઉજૈજની)માં આર્ય સુહસ્તિીનાં દર્શન કરતા જાતિસ્મરણ થયું અને પ્રવચન સાંભળીને જૈન ધર્માવલમ્બી બન્યા. તે ઘણા પ્રતાપી રાજા થયા. હૃદયથી દયાળુ પ્રકૃતિના હતા. તેણે ૭૦૦ દાનશાળાઓ ખેલાવી અને જૈન ધર્મના પ્રચારને માટે તેમના વિશિષ્ટ અધિકારીઓને શ્રમણ વેશમાં આંધ્ર અને બીજા પ્રદેશોમાં મોકલ્યા. બનેય આચાર્યોની શિષ્ય પરંપરાઓ ઘણીજ વિસ્તૃત રહેલ છે કે જેનું વર્ણન મૂલાર્થમાં કરવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy