SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ આ યશોભદ્ર પરંતુ તત્ત્વનું રહસ્ય જાણી ન શકાયું ત્યારે તેમણે મુનિઓને પૂછયુંતત્વ શું છે? બતાવો!” શિષ્યોએ કહ્યું- “તત્ત્વ શું છે? તે તો અમારા ગુરુ બતાવશે. જે તત્ત્વની જિજ્ઞાસા હોય તે અમારા ગુરુ આર્ય પ્રભવના ચરણમાં ચાલે.” તે જ ક્ષણે શય્યભવ આર્ય પ્રભવની પાસે આવ્યા. પ્રભવ સ્વામીએ બતાવ્યું.- “યજ્ઞ કરવો તે એક તત્ત્વ છે પરંતુ યજ્ઞ બહારને નહિ, આત્યંતર હોવો જોઈએ. વિકારોનાં પશુઓને હેમવા તે યજ્ઞનું તત્ત્વ છે.” પ્રભવ સ્વામીના પ્રભાવપૂર્ણ પ્રવચનથી પ્રબુદ્ધ થઈને પ્રવજ્યા ગ્રહણ કરી. ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. જ્યારે તેમણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી ત્યારે તેમની પત્ની સગર્ભા હતી, પછી પુત્ર થયું. “મનકી નામ રાખવામાં આવ્યું. મનકે લધુ વયમાંજ ચંપાનગરીમાં તેમનાં દર્શન કર્યા અને તેઓ પણ મુનિ બની ગયા. વિશિષ્ટ જ્ઞાનથી પુત્રનું છ માસનું આયુષ્ય જાણીને અલ્પ કાળમાંજ શ્રમણાચારને સમ્યક્ પરિચય આપવાના હેતુથી પૂર્વશ્રતના આધારથી આચારસંહિતાનું સંકલન કર્યું. તેનાં દસ અધ્યયન હતા. વિકાળમાં રચવાને કારણે તેનું નામ “દસર્વકાલિક” રાખવામાં આવ્યું. તેમણે અઠ્ઠાવીસ વરસની વયમાં પ્રવજ્યા ગ્રહણ કરી. ત્રીસ વરસ સાધારણ મુનિ અવસ્થામાં રહ્યા અને ત્રેવીસ વરસ યુગપ્રધાન આચાર્યપદ ઉપર. વીર સંવત ૯૮માં ૮૫ વરસનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગસ્થ થયા —- આર્ય યશેભદ્ર તે આચાર્ય શય્યભવના પરમ મેધાવી શિષ્ય હતા. તંગિયાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. તેમના જીવનવૃત્ત સંબંધમાં વિશેષ સામગ્રી ઉપલબ્ધ નથી. પાટલિપુત્રના નંદરાજવંશ અને મંત્રીવંશ તેમના પ્રભાવથી પૂર્ણ પ્રભાવિત હતા. તથા વિદેહ, મગધ અને અંગ આદિ તેમના પાદ– પદ્મોથી સદા પાવન રહેતા હતાં. બાવીસ વરસની ઉંમરમાં દીક્ષા ગ્રહણ કરી, ચૌદ વરસ સુધી મુનિ અવસ્થામાં રહ્યા અને પચાસ વરસ યુગપ્રધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy