SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ કપસૂત્ર – આર્ય પ્રભવ સ્વામી આર્ય પ્રભવ વિંધ્યાચળ સન્નિકટવતી જયપુરના નિવાસી હતા. પિતાનું નામ વિધ્ય રાજા હતું. એક વખત કોઈ કારણથી પિતા સાથે અણુબનાવ થઈ જવાના કારણે પોતાના પાંચસો સાથીઓને સાથે રાજ્ય છોડીને નીકળી પડ્યા. પોતાના સાથીઓની સાથે અહીંતહીં લૂંટફાટ કરવી એવી પ્રવૃત્તિથી પ્રભવ રાજકુમાર દસ્યુરાજના રૂપમાં વિખ્યાત થઈ ગયા. તેના નામથી લેક કંપવા લાગ્યા. જે દિવસે જંબુકુમારના વિવાહ થયા હતા તે જ દિવસે ત્યાં લૂંટફાટ કરવા માટે પ્રભાવ તેમના ઘેર પહોંચ્યા. પ્રભવની પાસે બે વિદ્યાઓ હતી: (૧) તાલોદઘાટિની (તાળાં તોડવાની) અને (૨) અવસ્થાપિની (નિદ્રાધીન કરવાની). તેની વિદ્યાના પ્રભાવથી ઘરનાં બધાં માણસે સૂઈ ગયા પરંતુ ઉપર જબુકુમાર પોતાની નવપરિણીતા પત્નીઓની સાથે વૈરાગ્ય ચર્ચા કરી રહેલ હતા. પ્રભવ ત્યાં પહોંચ્યા. છુપાઈને સાંભળવા લાગ્યા. વૈરાગ્ય રસથી ઊભરાતે ઉપદેશ સાંભળીને પ્રભવ સંસારથી વિરક્ત થઈ ગયા. પિતાના સાથીઓની સાથે જ તેમણે ત્રીસ વરસની અવસ્થામાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પચાસ વરસની અવસ્થામાં આચાર્ય પદ ઉપર બિરાજ્યા અને એક પાંચ વરસની ઉમરમાં અનશન કરી સ્વર્ગવાસી થયા. – – » આર્ય શસ્વૈભવ આર્ય પ્રભવના સ્વર્ગવાસ થયા બાદ આર્ય શäભવ તેમની પાટ ઉપર આરૂઢ થયા. તેઓ રાજગૃહના નિવાસી વત્સગોત્રીય બ્રાહ્મણ હતા. વૈદિક સાહિત્યના ઉદ્ભટ વિદ્વાન હતા. એક વખત તેઓ ઘણો મોટો યજ્ઞ કરી રહેલ હતા. આર્ય પ્રભવના આદેશાનુસાર કેટલાક શિષ્યો તેમની પાસે આવ્યા અને નીચે મુજબ કહીને આગળ નીકળી ગયા. ____ " अहो कष्टमहो कष्टं पुनः तत्त्वं न ज्ञायते परम् " અત્યંત ખેદ છે કે તત્ત્વ કોઈ જાણતું નથી.” આ વાકય શચંભવના પાંડિત્ય ઉપર એક સખત ઘા હતા. તેણે ઊંડાણથી વિચાર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy