SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય જંબુ ૩૦૭ સોળ વરસની ઉમરમાં આઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ થયું. પાણિગ્રહણ પહેલાં જ સંયમ લેવાને સંકલ્પ કર્યો. પરંતુ માતા પિતાના આગ્રહથી સુંદર કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. કરિયાવરમાં ૯ કરોડનું ધન મળ્યું પરંતુ સુધર્મા સ્વામીના વૈરાગ્ય રંગથી પીગળાવી નાખે તેવા પ્રવચને સાંભળીને એટલી વિરક્તિ થઈ કે મધુરજની માણ્યા વિના આઠેય સુંદર પત્ની અને અપાર વૈભવને પરિત્યાગ કરીને ભગવાન સુધર્માના ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી. જંબુની સાથે જ તેના માતા પિતા તથા આઠેય પત્ની અને તેમનાં પણ માતાપિતાઓએ તથા દસ્યુરાજ પ્રભવે તથા તેની સાથેના પાંચસો ચોરોએ, આ રીતે પાંચસે સત્તાવીસ વ્યક્તિઓએ એકી સાથે દીક્ષા ગ્રહણ કરી. સોળ વરસની ઉમરમાં દીક્ષા ગ્રહણ કરી બાર વરસ સુધી સુધર્મા સ્વામી પાસે આગમની વાચના પ્રાપ્ત કરતા રહ્યા. વીર નિર્વાણ સંવત એકમાં દીક્ષા ગ્રહણ કરી. ૭૦ વીર સંવત ૧૩માં સુધર્માસ્વામીને કેવળજ્ઞાન થયા પછી તેની પાટ ઉપર આસીન થયા. આઠ વરસ સુધી સંઘનું કુશળ નેતૃત્વ કર્યા પછી વીર સંવત વીસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વીર સંવત ચોસઠમાં એંસી વરસનું આયુષ્ય પૂર્ણ કરી મથુરાનગરીમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. આજે જે કાંઈ આગમ સાહિત્ય ઉપલબ્ધ છે, તેનું ઘણું બધું શ્રેય જંબુસ્વામીને જ છે. તેમની પ્રબળ જિજ્ઞાસાથી જ સુધર્માસ્વામીએ આગમની વાચના આપી. જંબુસ્વામી આ અવસર્પિણી કાળચક્રના અંતિમ કેવળી હતા. તેમનાં પછી કઈ પણ ક્ષે ગયું નહિ. તેમના મેક્ષ પધાર્યા પછી નીચે જણાવેલી દસ વાતે વિચ્છિન્ન થઈ ગઈ. (૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમાવધિજ્ઞાન (૩) પુલાલબ્ધિ (૪) આહારક શરીર (૫) ક્ષપકશ્રેણી (૬) ઉપશમશ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક (પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર,) (૯) કેવળજ્ઞાન અને (૧૦) સિદ્ધિપદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy