SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ કલ્પસૂત્ર વાચના હતી. શ્રમણ ભગવાન મહાવીરની હાજરીમાં જ નવ ગણધર પોતપોતાના ગણુ આર્ય સુધર્માને સંપીને મેશે ચાલ્યા ગયા હતા. વિવેચનઃ ઈન્દ્રભૂતિ ગતમઃ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય હતા. મગધની રાજધાની રાજગૃહની પાસે ગર્વર (ગોવરગાંવ) ગ્રામના રહેવાસી હતા, જેને આજે નાલંદાને જ એક વિભાગ માનવામાં આવે છે. તેમના પિતા વસુભૂતિ અને માતા “પૃથ્વી” હતી. તેમનું નામ છે કે ઇંદ્રભૂતિ હતું પણ તેમના ગત્રાભિધાન “ગૌતમ૫ નામથી જ તેઓ વધુ પ્રખ્યાત થયા હતા. પચાસ વરસની આયુમાં તેમણે પાંચ છાત્રોની સાથે પ્રવ્રયા ગ્રહણ કરી. ત્રીસ વરસ સુધી મર્થ રહ્યા. અને બાર વરસ જીવન્મુક્ત કેવળી. ૮ ગુણશીલ ચૈિત્યમાં માસિક અનશન કરીને બાણુ (૯૨) વર્ષની ઉમ્રમાં નિર્વાણને પ્રાપ્ત થયા * અભૂિતિઃ અગ્નભૂતિ ઇન્દ્રભૂતિ ગૌતમના વચલા ભાઈ હતા. છેતાળીસ વરસની અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી. ૧૦ બાર વરસ સુધી છમસ્થાવસ્થા માં તપ-જપ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સોળ વરસ ૧૨ સુધી કેવળી અવસ્થામાં વિચરણ કરી, ભગવાન મહાવીરના નિર્વાણથી બે વરસ પહેલાં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં માસિક અનશન કરી ચુમોતેર (૭૪) વરસની અવસ્થામાં નિર્વાણને પ્રાપ્ત થયા છે વાયુભૂતિ: તે ઇન્દ્રભૂતિના નાનાભાઈ હતા. બેંતાળીસ વરસની અવસ્થામાં ગૃહવાસ ત્યાગીને શ્રમધર્મને સ્વીકાર કર્યો હતે. * દસ વરસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. ૧૫ અઢાર વરસ કેવળી અવસ્થામાં રહ્યા. ૧૬ સિત્તેર વરસની અવસ્થામાં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં માસિક અનશનની સાથે નિર્વાણને પ્રાપ્ત થયા. ૧૭ આ ત્રણે ગણધર સહોદર હતા અને વેદ વગેરેના પ્રકાંડ પંડિત હતા. (૪) આર્યવ્યક્તઃ- તે કેલ્લાગસંનિવેશના નિવાસી હતા. ૧૮ અને ભારદ્વાજ ગોત્રીય બ્રાહ્મણ હતા. તેના પિતાનું નામ ઘનમિત્ર અને માતાનું નામ વારૂણી હતું. પચાસ વરસની અવસ્થામાં પાંચ છાત્રોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy