SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૨૭૪ અનેક દેશેાના રાજકુમારે આવ-જા કરી રહેલ હતા ત્યાં ઊભી રહી ગઈ. વજબંધ રાજકુમારે જેવું તે ચિત્ર જોયુ તેવુજ તેને પણ પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ ગઇ, ચિત્રપટ્ટનું આખું ઇતિ-વૃત્ત પંડિતા પરિચારિકાને બતાવ્યું, પરિચારિકાએ શ્રીમતીને અને ફરી શ્રીમતીની પ્રેરણાથી ચક્રવતી વજ્રસેનને પરિચય આપીને શ્રીમતીનુ વાધ સાથે પાણિગ્રહણ કરાવ્યુ”, શ્રીમતીના પિતા વજસેને સયમ લીધેા ત્યારે સીમાડાના રાજા સમ્રાટ પુષ્કરપાલની આજ્ઞાનું ઉલ્લંધન કરવા લાગ્યા. વાજંધ તેની સહાયતા માટે ગયા અને શત્રુ ઉપર વિજયપતાકા લહેરાવીને જ્યારે તે પાછા પેાતાની રાજધાનીમાં ફરી રહ્યા હતા ત્યારે તેને જાણ થઈ કે આ અરણ્યમાં બે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમના દિવ્ય પ્રભાવથી દૃષ્ટિવિષ સર્પ પણ નિર્વિષ થઇ ગયા છે. આથી વૅજાજ ધ મુનિનાં દર્શન કરવા માટે ગયા, ઉપદેશ સાંભળી વૈરાગ્ય થયા. પુત્રને રાજ્ય સોંપીને સંયમ ગ્રહણ કરીશ તે ભાવનાની સાથે ત્યાંથી પ્રસ્થાન કરીને રાજધાનીમાં પહોંચ્યા. અહીં પુત્રે વિચાર્યું કે પિતાજી જીવતાં મને રાજ્ય આપશે નહિ. તેથી રાજ્યલાભમાં સાઇને તેણે તે રાતે વજાજધના મહેલ ઉપર ઝેરીલા ધુમાડા રેલાવ્યા કે જેની ગંધથી વાજુંધ અને શ્રીમતી ખને મૃત્યુને પ્રાપ્ત થઇ :ગયાં. ૪૦ (૭) યુગલિક ત્યાંથી ખને આયુષ્ય પૂર્ણ કરીને ઉત્તરકુરુમાં યુગલ-યુગલિની બન્યા, (૮) સૌધર્મકલ્પ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૈધમ લ્પમાં દૈવ બન્યા. (૯) જીવાનંદ વૈધ ત્યાંથી વીને ધન્ના સાર્થવાહના જીવ જીવાન વૈદ્ય બન્યા. તે વખતે ત્યાં પાંચ અન્ય જીવા પણ ઉત્પન્ન થયા. (૧) રાજાના પુત્ર મહીધર (૨) મંત્રીપુત્ર-સુબુદ્ધિ (૩) સાવાહના પુત્ર પૂર્ણચંદ્ર (૪) શ્રેષ્ઠીપુત્ર ગુણાકર (૫) ઈશ્વરદત્ત પુત્ર કેશવ (જે શ્રીમતીના જીવ હતા.) આ છએ મિત્રામાં દૂધ-પાણી જેવા પ્રેમ હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy