SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ કલ્પસૂત્ર ભગવાનને કેવળજ્ઞાન થયાના સમાચાર પ્રાપ્ત થતાં જ શ્રીકૃષ્ણ વગેરે ત્યાં પહોંચ્યા. ભગવાનના ઉપદેશથી વરદત્ત વગેરે એ હજાર રાજાઆએ પ્રવજ્યા ગ્રહણ કરી. પ્રભુએ ચતુર્વિધ સંધની સ્થાપના કરી. શ્રીકૃષ્ણે ભગવાન સમક્ષ જિજ્ઞાસા રજૂ કરી કે “ભગવન્! રાજીમતીના આપના ઉપર આટલા અપાર સ્નેહ કેમ છે? સમાધાન કરતાં ભગવાને કહ્યું –આજથી નવમા ભવે હું ધન’ નામના રાજપુત્ર હતા અને તે રાજમતીના જીવ, ‘ધનવતી’ નામની મારી પત્ની હતી, ત્યાંથી પ્રથમ દેવલાકમાં દેવ બન્યા અને તે દેવી ખની, ત્યાંથી ચુત થઈને મારો જીવ ચિત્રગતિ નામના વિદ્યાધર થયા અને તે મારી રત્નવતી નામની પત્ની થઈ, ત્યાંથી અમે બન્ને ચોથા દેવલેાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી વીને હું અપરાજિત નામના રાજા થયા, અને તે પ્રિયતમા નામની રાણી થઇ. ત્યાંથી અમે બન્ને અગિયારમા દેવલાકમાં દેવ થયાં. તે પછી હું શખ નામના રાજા થયા અને તે યશામતી નામની રાણી થઇ, ત્યાંથી અમે બન્ને અપરાજિત દેવલાકમાં ગયાં અને ત્યાંથી ચ્યવીને હું અરિષ્ટને િમ થયા અને તે રાજીમતી થઈ છે, પૂર્વભવાના સ્નેહસંબધ હોવાના કારણેજ તેને અત્યધિક અનુરાગ મારા પ્રત્યે છે, * રાજીમતીની દીક્ષા રથનેમિને પ્રતિબાધઃ ભગવાન ત્યાંથી વિહાર કરીને રૈવતક પત ઉપર પધાર્યા, સમવસરણની રચના થઇ. રાજીમતી વિચારવા લાગી – ભગવાનને ધન્ય છે કે જેમણે મેહને જીતી લીધા છે, ધિક્કાર છે મને કે જે હું મેાહના કાર્દામાં સાયેલી છુ, મારે માટે એ જ શ્રેયસ્કર છે કે હું દીક્ષા લઈ લઉ, ૨૯ એવા દૃઢ સંકલ્પ કરીને રાજીમતીએ કાંસકી વગેરેથી સજાવેલા ભમરા જેવા કાળા કેશને ઉખેડી નાખ્યા, સર્વ ઈન્દ્રિયાને જ્વીને દીક્ષાને માટે તૈયાર થઇ, શ્રીકૃષ્ણે આશીર્વાદ આપ્યા “હે કન્યા! આ ભયંકર સંસાર સાગરમાંથી તુ” શીઘ્ર તર” રાજીમતીએ દીક્ષા ગ્રહણ કરી, ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy