SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ રાજીમતીની દીક્ષા : રથનેમિને પ્રતિબંધ દીક્ષા લીધા પછી એક વખત રાજીમતી રૈવતક પર્વત તરફ જઈ રહેલ હતી. તે વખતે મુસળધાર વરસાદ થવાથી તેનાં વસ્ત્રો ભીની થઈ ગયાં, સાથેની અન્ય સાધ્વીઓ પણ આડી અવળી થઈ ગઈ. રાજીમતીએ વરસાદથી બચવા માટે એક અંધારી ગુફાને આશ્રય લીધો. એકાન્ત સ્થાન સમજીને બધાં ભીના વસ્ત્રો ઉતારી સુકવવા માટે પહોળાં કર્યા. રાજીમતીના ફિટકારથી પ્રતિબુદ્ધ થઈને રથનેમિ પ્રવ્રજિત થઈ ગયા હતા અને તેઓ તે જ ગુફામાં ધ્યાનમગ્ન હતા. આજે વિજળીના ચમકારામાં રામતીને એકલી અને નિર્વસ્ત્ર જોઈને તેમનું મન ફરીને ચલિત થઈ ગયું. એટલામાં એકાએક રાજમતીની દષ્ટિ પણ તેના ઉપર પડી. તેને દેખતાંની સાથે જ તે શેહ ખાઈ ગઈ ભયભીત બની. પિતાનાં અંગોને ઢાંકીને જમીન ઉપર બેસી ગઈ. 1 કામવિહ્વળ રથનેમિએ રાજીમતીને કહ્યું – હે સુરપા! “હું રથનેમિ છું. તું મને અંગીકાર કર. જરા જેટલા પણ સંકોચ ન કર. આવો ! આ એકાન્ત સ્થાનમાં આપણે ભોગ ભોગવીએ અને સાંસારિક ભેગોને આનંદ લીધા પછી ફરી સંયમ લઈ લઈશું.” રાજીમતીએ જોયું કે– રથનેમિનું મનોબળ તૂટી ગયેલ છે, તે વાસના - વિહવળ થઈને સંયમથી ભ્રષ્ટ થઈ રહેલ છે. તેણે ધૈર્યની સાથે કહ્યું – “ભલેને તમે રૂપમાં વૈશ્રમણ જેવા હો, ભેગલીલામાં નળકુબેર કે સાક્ષાત ઈન્દ્ર સમાન હો તે પણ હું તમારી ઈચ્છા કરતી નથી. અગંધન કુળમાં ઉત્પન્ન થયેલ સર્પ પ્રજ્જવલિત અગ્નિમાં જલીને મરવાનું પસંદ કરે છે પણ વમન કરેલા વિષને ફરીને પીવાની ઈચ્છા કરતો નથી. હે કામી! વમન કરેલી વસ્તુ ખાઈને તું જીવતે રહેવા માગે છે તેનાથી તે મરવું શ્રેયસ્કર છે.”૩૨ સાધ્વી રામતીનાં સુભાષિત વચન સાંભળીને જેવી રીતે હાથી અંકુશથી વશમાં આવે છે તેવી જ રીતે રથનેમિનું મન સ્થિર થઈ ગયું. રથનેમિએ ભગવાનની પાસે જઈને આલોચના કરી અને ઉત્કૃષ્ટ તપ કરીને મોક્ષે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy