SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાન ૨૫૫ પંચાવનમાં દિવસમાં સંચરણ કરી રહ્યા હતા ત્યારે વર્ષાઋતુને ત્રીજો માસ, પાંચમે પક્ષ અર્થાત્ આસો વદ અમાસને દિન અપરાનમાં ઉયંત શિલ શિખર (રૈવતાચલ પર્વત) પર વેંત (વેતસ)ના વૃક્ષની નીચે પાણી રહિત, અઠ્ઠમનું તપ કરીને રહેલાં હતા. તે સમયે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં ધ્યાનસ્થ તેમને અનંત યાવત ઉત્તમ કેવળજ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થયા. હવે તેઓ સમસ્ત દ્રવ્ય અને તેમની સંપૂર્ણ પર્યાને જાણતાં અને જોતાં વિચારવા લાગ્યા. વિવેચનઃ ભગવાન નેમિનાથના દીક્ષા ગ્રહણ કર્યા પછી રાજીમતીના રૂપ ઉપર ભગવાન નેમિનાથના નાનાભાઈ રથનેમિ મુગ્ધ બની ગયા હતા. તે રાજીમતીને પિતાને વશ કરવા માટે નિત્ય-નવીન ઉપહાર ભેટ મોકલતા. ભેળી ભદ્રિક રાજીમતી તેને આ કુટિલ વ્યવહાર સમજી શકી નહિ. તે અરિષ્ટનેમિનો જ ઉપહાર સમજી પ્રેમપૂર્વક તેને ગ્રહણ કરતી રહી. એક દિવસ એકાન્તમાં રામતીને જોઈને રથનેમિએ પોતાના હૃદયની ઈચ્છા અભિવ્યક્ત કરી. રાજમતીએ જ્યારે તે વાત સાંભળી ત્યારે બધું રહસ્ય સમજી ગઈ. બીજે દિવસે જ્યારે રથનેમિ આવ્યા ત્યારે તેને સમજાવવા માટે તેણે સુગંધિત દૂધ પીધું અને પછી વમનની દવા (મદનફળ) લીધી. જ્યારે દવાના પ્રભાવથી વમન થયું ત્યારે તેને એક સેનાના પાત્રમાં ગ્રહણ કરી લીધું અને રથનેમિને કહ્યું કે “જરા આનું પાન કરે.” રથનેમિએ નાક-મોટું સંકેચીને કહ્યું “શું હું તમારો કૂતરો છું કે આનું પાન ક', વમનને ચાટવાનું, પાન કરવાનું કામ તો શ્વાન કરે, માણસ નહિ.” રાજીમતીએ કહ્યું: “ઘણું સારું. તે હું પણ અરિષ્ટનેમિ દ્વારા વમન કરાયેલી છું તેમ છતાં મારાં ઉપર મુગ્ધ થઈને મારી કેમ ઈચ્છા કરી રહ્યા છો? તમારો વિવેક કેમ નષ્ટ થઈ ગયો છે, શું તે પણ વમનપાન નથી? રામતીને તિરસ્કારથી રથનેમિ લજ્જિત થઈનીચું માથું કરી પિતાને ઘેર ચાલ્યા આવ્યા. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy