SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ કપસૂત્ર કરુણામૂર્તિ અરિષ્ટનેમિએ વિચાર્યું – મારા કારણે એવા ઘણાએ જીને મારી નાખવામાં આવે તે મારે માટે તે ભવિષ્યમાં કલ્યાણપ્રદ નહિ બને- તેમ કહીને તેમને પિતાનાં કુંડળ-કદર વગેરે આભૂષણો ઉતારીને સારથિને આપી દીધાં અને રથ પાછો વાળવા કહ્યું – “સારથિ! પાછા ચાલો, મારે એ જાતના હિંસાકારી વિવાહ કરવા નથી.” શ્રીકૃષ્ણ વગેરે ઘણાએ સમજાવવા છતાં પણ તે માન્યા નહિ. દ્વારકા તરફ વિવાહ કર્યા વિના જ પાછા ચાલી નીકળ્યા. રાજિમતીના ચહેરા ઉપર જે ગુલાબી ખુશી છવાયેલ હતી તે પ્રભુના પાછા ફરવાથી વિલીન થઈ ગઈ. તે પોતાના ભાગ્યને દોષ દેવા લાગી. તેને ઘણું જ દુઃખ થયું. અરિષ્ટનેમિ તેના હૃદયમાં વસેલ હતા. માતા-પિતા અને સખીઓએ સમજાવ્યું, “અરિષ્ટનેમિ ચાલ્યા ગયા તે શું થયું –ઘણાએ સારા વર પ્રાપ્ત થઈ જશે.” તેમણે દઢતાથી કહ્યું- “વિવાહનાં બાહ્ય રીતિરિવાજે (વરણના) ભલેને ન થયાં હોય પરંતુ હૃદયથી તે મેં તેમને વરણ કરી લીધેલ છે. હવે હું આજન્મ તે પ્રભુની ઉપાસના કરીશ. – દીક્ષા મૂલ્ય: अरहा अरिहनेमी दक्खे जाव तिन्नि वाससयाई कुमारे अगारवासमझे वसित्ता णं पुणरवि लोयंतिएहिं जीयकप्पिएहिं देवेहिं तं चेव सव्वं भाणियव्वं जाव दायं दाइयाणं परिभाएता जे से वासाणं पढमे मासे दोच्चे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स छट्ठीपक्खेणं पुठवण्हकालसमयंसि उत्तरकुराए सीयाए सदेवमणुयासुराए परिसाए अणुगम्ममाणमग्गे जाव बारवईए नगरीए मज्झं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव रेवयए उज्जाणे तेणेव उगच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy