SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ કલ્પસૂત્ર રીતે વગાડો કે આખી દ્વારિકા ભયથી કંપી ઊઠી. તે ધ્વનિ સાંભળીને શ્રી કૃષ્ણનું હૃદય પણ ધડકવા લાગ્યું. શત્રુના ભયથી ભયભીત બનેલા શ્રી કૃષ્ણ આયુધશાળામાં આવ્યા. અરિષ્ટનેમિ દ્વારા શંખ વગાડ્યાની વાત જાણીને ચકિત થયા છતાં પણ શકિત પરીક્ષણને માટે શ્રી કૃષ્ણ અરિષ્ટનેમિને કહ્યું– ચાલે, વ્યાયામશાળામાં કે જ્યાં આપણું બાહુબળની પરીક્ષા કરીએ કેમકે પાંચજન્ય શંખ ફૂંકવાની શક્તિ મારા સિવાય અન્ય કઈમાં નથી. અરિષ્ટનેમિએ સ્વીકૃતિ આપી, બન્ને વ્યાયામશાળામાં પહોંચ્યા. કૃષ્ણ ભુજા લાંબી કરી અને કહ્યું: “આને તમે વાળી ઘો. અરિષ્ટનેમિએ તે ભુજાને એવી વાળી દીધી કે જેમ વૃક્ષની ડાળ વાળી હોય. ત્યાર પછી જ્યારે અરિષ્ટનેમિએ ભુજા લાંબી કરી ત્યારે શ્રી કૃષ્ણ પ્રબળ પ્રયત્ન કરવા છતાં પણ તેને ન વાળી શક્યા. આ ઘટના તેમના મહાન વૈર્ય, શૌર્ય અને પ્રબળ પરાક્રમના ભાવને ઓપ આપી રહેલ છે. શ્રી કૃષ્ણ અરિષ્ટનેમિના અતુલ બળને જોઈને ચક્તિ થઈ ગયા, સાથે સાથે તેઓ ચિંતામગ્ન પણ બની ગયા. તે જ વખતે આકાશવાણી થઈ કે અરિષ્ટનેમિ કુમારાવસ્થામાં જ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે.' * રાજુલની માગણી - શ્રીકૃષ્ણ કુમાર નેમિનાથને વિવાહના માટે પ્રેમપૂર્વક આગ્રહ કર્યો પણ તેને સ્વીકાર થયો નહિ. તેઓ ઈચ્છતા હતા કે નેમિકુમાર વિવાહિત થઈ જાય તો તેમનું અતુલ પરાક્રમ ક્ષીણ થઈ જાય અને પછી કદી પણ તેનાથી ભય કે શંકા રહેશે નહિ. તે કારણે સત્યભામા વગેરેને શ્રીકૃષ્ણ સક્ત કર્યો. શ્રીકૃષ્ણના સક્ત અનુસાર સત્યભામા વગેરે રાણીઓએ વસંત ઋતુમાં રેવતાચળ (ગિરનાર) ઉપર વસંતક્રીડા કરતાં હાવભાવ-ટાક્ષ વગેરે દ્વારા નેમિકુમારના હૃદયમાં વાસના જાગૃત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થઈ ત્યારે રુકિમણી, સત્યભામા, જાંબવતી, પદ્માવતી, ગાંધારી, લમણા વગેરેએ સ્ત્રીના મહત્ત્વ ઉપર પ્રકાશ નાખતાં કહ્યું: “સ્ત્રી વિના માનવ અપૂર્ણ છે, સ્ત્રી અમૃત છે, નારીજ નારાયણી છે, વગેરે.” પિતાની ભાભીઓનાં મોહભર્યા વચન સાંભળીને નેમિકુમાર મૌન રહ્યા અને તેમની અજ્ઞાનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy