SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ પરામદર્શન सुद्धस्स पंचमीपक्खेणं नवण्हं मासाणं जाव चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं अरोगा अरोगं पयाया। जम्मणं समुद्दविजयाभिलावेणं नेतव्वं जाव तं होउ णं कुमारे अरिहનેમી નામેut I ૧૬રૂ . અર્થ: તે કાળે તે સમયે વર્ષાઋતુને પ્રથમ માસ, દ્વિતીય પક્ષ અર્થાત શ્રાવણ માસના શુક્લ પક્ષ આવ્યો, તે સમયે શ્રાવણ સુદ ૫ ના દિવસે નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થતાં યાવત મધ્ય રાત્રિને ચિત્રા નક્ષત્રને વેગ થતાં જ, આરોગ્ય યુક્ત (સ્વસ્થ) માતાએ આરોગ્યવંત અહંત અરિષ્ટનેમિને જન્મ આપે. જન્મનું ઈતિવૃત્ત “પિતા સમુદ્રવિજય” આ પાઠની સાથે પૂર્વવત સમજવું જોઈએ યાવત “આ કુમારનું નામ અરિષ્ટનેમિકુમાર થાઓ વગેરે બધું કહી દેવું. વિવેચનઃ અહંત અરિષ્ટનેમિ બાવીસમા તીર્થકર હતા. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ “શિવા” હતું તેમને ત્રણ ભાઈઓ હતા. તેમના નામ આ પ્રમાણે છે “રથનેમિ” “સત્યનેમિ' અને દઢનેમિ' તેમનું નેત્ર ગૌતમ હતું.૩ અને કુળ વૃષ્ણિ હતું. તેમનું શરીર શ્યામવર્ણ હતું પરંતુ મુખાકૃતિ અત્યંત મનમોહક હતી. તેઓ એક હજારને આઠ શુભ લક્ષણના ધારક હતા.૧૫ વાઋષભનારા સંહની અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હતા. મત્સ્યના આકારનું તેનું ઉદર હતું. તેઓ અતુલ બળશાળી હતા. તેમનાં પરાક્રમદર્શનને એક મધુર પ્રસંગ છે. – પરાક્રમદર્શન એક વખત ફરતા ફરતા અહંત અરિષ્ટનેમિ શ્રી કૃષ્ણની આયુધશાળામાં પહોંચ્યા. સ્નેહી સાથીઓની પ્રેરણાથી પ્રેરિત થઈને વાસુદેવ શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રને આંગળી ઉપર રાખીને કુંભારના ચાકડાની માફક ઘુમાવ્યું. શાળંધનુષ્યને કમળની નાળની માફક વાળી દીધું. કૌમુદી ગદાને સહજરૂપે ઉઠાવીને ખભા ઉપર રાખી દીધી અને પાંચજન્ય શંખને એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy