SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૨૩૮ જેથી તે રાત્રિ પ્રકાશમાન બની ગઈ અને દેવ-દેવીઓના વાર્તાલાપથી ગૂંજવા લાગી. સ્વપ્ન તથા જન્મ સંબંધી અન્ય આખું વૃત્તાન્ત ભગવાન મહાવીરના વર્ણનમાં આવેલા વૃત્તાન્ત સમાન અહીં પણ સમજવું. વિશેષમાં ભગવાન મહાવીરને સ્થાને ભગવાન પાર્શ્વનું નામ લેવું. યાવત માતાપિતાએ કુમારનું નામ “પાર્થ” રાખ્યું. વિવેચન: રાજકુમાર પાર્શ્વનાથ મેટા થાય છે. યુવાવસ્થા આવતાં તેમનું પાણિગ્રહણ કુશસ્થલના રાજા પ્રસેનજિતની પુત્રી પરમ સુન્દરી પ્રભાવતીની સાથે થયું. – નાગને ઉદ્ધાર: એક દિવસ રાજકુમાર પાર્થ રાજમહેલની ગોખમાં બેઠા બેઠા નગરનું અવલોકન કરી રહેલ હતા. એવામાં તેમણે પૂજાની સામગ્રી લઈને મોટા જનસમૂહને નગરની બહાર જતાં જે. કુતૂહલવશ કુમારે પૂછયું: “શું આજે કઈ મહત્સવ છે કે અન્ય કોઈ વિશેષ પ્રસંગ છે કે જે કારણે આ લકે જઈ રહેલા છે? ઉત્તર મળે “કુમારવર! નગરની બહાર એક કમઠ નામને ઉગ્ર તપસ્વી આવેલો છે, જે પંચાગ્નિ તપ તપી રહ્યો છે. તે ઘણે ઉગ્ર તપસ્વી છે. તેની પૂજા અને અર્ચના કરવા માટે જ આ લેકો જઈ રહેલ છે.” કૌતુવશ થઈને રાજકુમાર પાર્શ્વ પણ કમઠને જોવા માટે ચાલ્યા. આ કમઠ તેજ હતું કે જેને સંબંધ પાર્શ્વનાથના જીવની સાથે ગત અનેક ભવોથી ચાલ્યો આવતો હતો. તે નરકમાંથી નીકળીને એક અત્યન્ત ગરીબ કુળમાં જન્મ્યો હતો. ભૂખ અને દરિદ્રતાથી વ્યાકુળ બનીને તેણે તાપસી પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. ઘણી ઉગ્ર તપસ્યા કરવાથી જનતામાં તેના તપની છાપ પડી ગઈ હતી, અને લોકે તેની પ્રશંસા કરવા લાગ્યા હતા. રાજકુમાર પાર્શ્વનાથે જોયું કે તપસ્વી પંચાગ્નિ તપ તપી રહ્યો છે, ચારે દિશામાં અગ્નિ બળી રહેલ છે, અને મસ્તક ઉપર સૂર્ય તપી રહેલ છે. અગ્નિકુંડમાં મેટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy