SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ નાગને ઉદ્ધાર ૨૩૪ મોટા લાકડાં બની રહેલ છે, તેમાં એક સર્પ પણ રહેલ છે. સર્ષને જેઈને પાકમારનું હૃદય કરુણાથી દ્રવી ઊયું. તાપસના આ વિવેકશૂન્ય ક્રિયાકાંડને જોઈને પાર્શ્વનાથે કહ્યું “તપસ્વિન! આ કેવું અજ્ઞાન તપ છે! પંચેન્દ્રિય જીવોને ભસ્મ કરીને તમે તમારું કલ્યાણ ચાહો છે?” તપસ્વી- રાજકુમાર! તમે ધર્મના રહસ્યને સમજતા નથી. રાજપુત્રો હાથી, ઘોડા પર સવારી કરી ક્રિીડા કરવાનું અને યુદ્ધ કરવાનું જાણે છે. ધર્મના રહસ્યને તે અમારા જેવા તપસ્વી સમજી શકે છે. તમે અહીંથી ચાલ્યા જાઓ, હજી તો દૂધમલા બચ્ચાં છે. શું તમે મારી ધૂણીમાં કોઈ જીવને બળતો બતાવી શકે છે ખરા? રાજકુમાર-તપસ્વી! આ મોટા લાકડામાં સર્પ બળી રહ્યો છે. તપસ્વી – તમારું કથન મિથ્યા છે, તે જ વખતે રાજકુમારે પિતાના સેવકને આજ્ઞા આપી, સેવકે અગ્નિકુંડમાંથી તે લાકડાંને બહાર કાઢયું અને સાવધાનીથી ચીયું ત્યારે તે વખતે તરફડતો સર્પ બહાર નીકળે. તે મરણની છેલ્લી ઘડીની સ્થિતિમાં હતા. પાર્શ્વનાથે પોતાના અનુચરથી તેને નવકાર મંત્ર સંભળાવ્યા. તે સમાધિપૂર્વક મરીને ધરણેન્દ્ર (નાગકુમાર જાતિના દેવ ઈન્દ્ર) દેવ થયો. લોકો કમઠને તિરસ્કારવા અને ધિક્કારવા લાગ્યા. તાપસ પાર્શ્વકુમાર પર ઘણેજ રૂઠયો પરંતુ કરે પણ શું? અંતે અજ્ઞાન તપના કારણે કમઠ તાપસ ત્યાંથી મરીને મેઘમાળી નામને દેવ બને. ભાવી તીર્થકરે દ્વારા ગૃહસ્થાવાસમાં આ પ્રમાણે ધર્મક્રાન્તિનું આ એક અદ્વિતીય ઉદાહરણ છે. મૂલ્ક: पासे णं अरहा पुरिसादाणीए दक्खे दक्खपइण्णे पडिरूवे अल्लीणे भद्दए विणीए तीसं वासाइं अगारवासमज्झे वसित्ताणं पुणरवि लोयंतिएहिं जियकप्पिएहिं देवेहिं ताहिं इहाहिं जाव एवं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy